Book Title: Rani Chellana Akshaytrutiya
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 9
________________ રાણી ચેલ્લા બધી તૈયારી થઈ. દિવસ નક્કી થયો. શ્રેણિક થોડા બહાદુર યોદ્ધાઓ સાથે આવી ગયા. સુયેષ્ઠા પણ જવા તૈયાર થઈ. એવામાં સુજ્યેષ્ઠાને ચેલ્લણા યાદ આવી. તેનાથી વાત છાની ન રાખવી એવો વિચાર થયો, એટલે મળવા ગઈ. ચલ્લણા કહે : “બહેન, આજે ઉદાસ કેમ છે?” સુયેષ્ઠા કહે : ‘તારા વિયોગના વિચારે.” ચલ્લણા કહે : “મારો વિયોગ ? બહેન ! હું અને તમે તો સાથે જ છીએ. અને સાથે જ રહીશું.' સુજ્યેષ્ઠા કહે : “ચલ્લણા, લગ્ન નથી થયાં ત્યાં સુધી. લગ્ન પછી તો છૂટાં જ પડીશું ને.' ચલ્લણા કહે : “ના રે ! સુજ્યેષ્ઠા ! આપણે બંને એક જ પતિ પરણીશું. પછી છૂટાં કેવી રીતે પડીશું? જા, જે તારો પતિ એ જ મારો પતિ.' સુયેષ્ઠા કહે : ‘તો થા તૈયાર. મારા પતિ તારી રાહ જોઈને ઊભા છે.' ચેલણાએ પૂછયું : “ક્યાં?” સુજ્યેષ્ઠા કહે, ભોંયરામાં. પછી બધી વાત વિસ્તારથી કહી. રાજા શ્રેણિક ભોંયરાના મોઢે ઊભા છે. સાથે પોતાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36