Book Title: Rani Chellana Akshaytrutiya
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 14
________________ જૈન બાલગ્રંથાવલિ શ્રેણી : ૧ - ૮ બાળી મૂક. ખબરદાર ! માનો પ્રેમ વચ્ચે લાવીશ નહિ.' અભયકુમાર કહે : જેવી પિતાની આજ્ઞા.’ બરાબર આ જ વખતે નગર બહાર બગીચામાં પ્રભુ મહાવીર પધાર્યા, એટલે શ્રેણિક રાજા તેમનાં દર્શન ક૨વા ગયા. ૧૨ અભયકુમારે વિચાર્યું : ‘પિતાજી કાંઈક ગુસ્સામાં આવી ગયા છે, નહીંતર આવો હુકમ ન કરે ! મારી બધી માતાઓ સ્વભાવથી જ સતીઓ છે. તેમાં કલંક હોય નહિ. નક્કી તેમની કાંઈક ગે૨સમજ થઈ હશે, માટે સાહસ તો ન જ કરવું.’ તેણે હાથીખાના પાસેની થોડી ઓરડીઓ સળગાવી અને ગામમાં પડાવી બૂમ : રાજાનું અંતઃપુર સળગ્યું, અંતઃપુર સળગ્યું !’ શ્રેણિકે પ્રભુને વંદન કર્યું. પછી સવાલ પૂછ્યો : ‘પ્રભુ ! ચેલ્લણાને એક પતિ છે કે અનેક ?” પ્રભુ કહે : ‘એક. હે શ્રેણિક ! એ સતી પર કોઈ પણ જાતનો વહેમ લાવીશ નહિ.’ શ્રેણિકને પ્રભુના વચનમાં શ્રદ્ધા હતી એટલે તે સમજ્યા કે પોતે ભારે ભૂલ કરી છે. તે ઉતાવળા ઉતાવળા ગામમાં આવ્યા. ત્યાં અભયકુમાર સામે મળ્યા. તેમને એકદમ શ્રેણિકે પૂછ્યું : ‘અભય, શું કર્યું ?' અભયકુમાર કહે : 'આપની આજ્ઞાનું પાલન, પિતાજી !' શ્રેણિક કહે : “અરે મૂર્ખ ! મારો અવિચારી હુકમ અમલમાં કેમ મૂક્યો ? તારી માતાઓને બાળતાં તારો જીવ ભલો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36