Book Title: Rani Chellana Akshaytrutiya
Author(s): Jaybhikkhu
Publisher: Jaybhikkhu Sahitya Trust

View full book text
Previous | Next

Page 29
________________ અક્ષયતૃતીયા ૨૭ નગરજનો શ્રેયાંસકુમારના ભુવનમાં ભેગા થવા લાગ્યા. કચ્છ મહાકચ્છ આદિ તાપસો પણ આવી પહોંચ્યા. અત્રે શ્રેયાંસકુમારે સહુને તપ તથા ત્યાગથી ભરેલો મુનિધર્મ સમજાવ્યો. નગરજનો એ સાંભળી કહેવા લાગ્યાઃ પ્રભુ, સાથે તમારો પૂર્વજન્મનો સંબંધ શો હતો, અને કોઈના હાથે ભિક્ષા ન લેતાં તમારા હાથે લીધી તેનું શું કારણ એ અમને જણાવશો કે ?' શ્રેયાંસકુમારે જણાવ્યું : સ્વર્ગ અને મૃત્યુલોકમાં પ્રભુ સાથે હું આઠ ભવ સુધી ફર્યો છું. મિત્ર તરીકે, પત્ની તરીકે, સારથિ તરીકે મેં એમની સેવા કરી છે. આ ભવથી અતિક્રાન્ત ત્રીજા ભવમાં ભગવંત વજનાભ નામે ચક્રવર્તી હતા. હું તેમનો સારથિ હતો. તેમના પિતા વજસેનને મેં તીર્થકર રૂપે જોયા હતા. વજનાભે તેમની પાસે દીક્ષા લીધી. મેં પણ તેમની પાસે દીક્ષા લીધી. સ્વયંપ્રભાદિક ભવમાં પણ હું તેમની સાથે હતો. “આ ઉપરાંત ગઈ રાત્રે મને મારા પિતાશ્રીને તથા શેઠ સુબુદ્ધિને એકસરખાં સ્વપ્ન લાધ્યાં હતાં. સવારે એનો ખુલાસો આપોઆપ થઈ ગયો. એ સ્વપ્ન અને તેનો અર્થ નીચે મુજબ છે : મેં ગઈ કાલે રાત્રે સ્વપ્નમાં, શ્યામ મેરુપર્વતને દૂધથી ઊજળો કર્યો, એમ જોયું. તેથી આજે આ પ્રભુ, કે જેઓ વ્રતમાં મેરુની જેમ અડોલ છે, પણ તપથી શ્યામ થયેલા છે, તેમને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36