________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૮૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧)
હવે કહે છે- “અજ્ઞાનરૂપ (અર્થાત્ કર્મરૂપ અને કર્મફળરૂપ) ઉપયોગ કરવો, તેના તરફ જ (-કર્મ અને કર્મફળ તરફ જ ) એકાગ્ર થઈ તેનો જ અનુભવ કરવો, તે અજ્ઞાનચેતના છે. તેનાથી કર્મનો બંધ થાય છે, કે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકે છે.'
જુઓ શું કહે છે આ? કે પુણ્ય-પાપ આદિ કર્મરૂપ અને કર્મફળરૂપ ભાવોમાં એકાગ્ર થઈ તેમાં જ ઉપયોગને રોકી રાખે તે અજ્ઞાન ચેતના છે; અને તેથી કર્મનો બંધ થાય છે જે બંધ જ્ઞાનની શુદ્ધતાને રોકી રાખે છે. હવે આવી ચોખ્ખી વાત છે. ભાઈ ! શાંતિ અને ધીરજ રાખીને માર્ગ સમજવો જોઈએ, આમાં કાંઈ વાદવિવાદ પાર પડે એવું નથી. ભગવાન જિનચંદ્ર ચૈતન્યપ્રકાશનો પૂંજ પોતે છે તેને ભૂલીને વ્રતાદિના રાગમાં એકાગ્ર થઈ વર્તે તે મિથ્યાત્વના અંધકારમાં જ આથડ છે, તેનું સંસાર-પરિભ્રમણ મટતું નથી. સમજાણું કાંઈ...!
[ પ્રવચન નં. ૪૭૫ થી ૪૭૭ * દિનાંક ૨૮-૧૦-૭૭ અને ૨૯-૧૦-૭૭]
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com