________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમયસાર ગાથા-૪૧૫ : ૩૧૧ થઈ ગયું નથી, અનંતા જ્ઞયાકારોને જ્ઞાન જાણે છે તો અનંતા જ્ઞયાકારપણે જ્ઞાન ખંડ ખંડ થઈ જતું નથી. આ તો મૂળ મુદ્દાની વાત છે. અરે, એણે સ્વરૂપસન્મુખ થઈ નિજ અંતરતત્ત્વને જાણ્યું નથી !
અહા ! બહારના ક્રિયાકાંડ તો એ અનંતવાર કરી ચૂક્યો છે. મહાવિદેહક્ષેત્રમાં સદાય તિર્થંકર પરમાત્મા સમોસરણમાં બિરાજમાન છે. ત્યાં સમોસરણમાં જઈ એણે આ પ્રકારે ભગવાનની ભક્તિ-સ્તુતિ કરી છે, અને ભગવાનની વાણી અનંતવાર સાંભળી છે. પરંતુ એ તો બધી પરસન્મુખ પ્રવૃત્તિ બાપુ! અહા ! એ પરસમ્મુખતાથી ખસ્યો નહિ અને સ્વસમ્મુખ થઈ નિજ ચૈતન્યતત્ત્વ જ્ઞાનમાત્ર વસ્તુને જાણીને અનુભવી નહિ. નિજ જ્ઞાનતત્ત્વને સ્વાભિમુખ થઈ અનુભવવી એ એક જ સાર છે-ભાઈ !
અહીં બે વાત કરી:
૧. આત્મા જ્ઞાનમાત્ર સ્વરૂપ વસ્તુ છે. અર્થાત્ શરીર, મન, વાણી, ઈન્દ્રિય તે આત્મા નહિ, રાગાદિ વિકાર આત્મા નહિ ને અન્ય જીવ-પંચ પરમેષ્ઠી આદિય આત્મા નહિ. હા, એના સ્વરૂપમાં પંચપરમેષ્ઠી પદ શક્તિરૂપે પડેલાં છે એ બીજી વાત છે, પણ અન્ય જીવરૂપ પંચપરમેષ્ઠી તે આ આત્મા નહિ.
વળી જ્ઞાનમાત્ર વસ્તુ હોતાં સૌને-જગત આખાને જાણવાના સામર્થ્યરૂપ હોવાથી જાણે છે પણ તે કોઈ પરનો કર્તા નથી.
૨. વળી તે જ્ઞાનમાત્ર વસ્તુ અખંડ છે. એટલે શું? કે જાણવું... જાણવું.... જાણવું એ જ્ઞાનમાત્ર વસ્તુ આત્માનો સ્વભાવ છે, તો તે સ્વ-પર સૌને જાણે છે. અનંતા પર પદાર્થોને જ્ઞાન જાણે છે. તો અનંતને જાણતાં જ્ઞાન ખંડખંડ થાય છે કે નહિ? તો કહે છેના, જ્ઞાનમાત્ર વસ્તુનું જે તત્ત્વ-જ્ઞાનસ્વભાવ છે તે અખંડ છે. અનંત જ્ઞયાકારોને જ્ઞાન જાણે પણ તે જ્ઞયાકારરૂપ થઈ જતું નથી. જ્ઞાનાકારરૂપે જ રહે છે. સર્વને જાણનારું જ્ઞાન પોતે પોતાના કારણે જ જ્ઞાનાકારપણે થાય છે, જ્ઞયાકારોને કારણે અહીં જ્ઞાન થાય છે એમ નથી. અનંતા પરને જાણવાથી જ્ઞાન કાંઈ અનંત-ખંડખંડ થતું નથી, જ્ઞાન અખંડ, અભેદ સ્વભાવે જ રહે છે.
અહા! આખી દુનિયાનો વ્યવસાય કરવાની ચિંતા આડે એને પોતાનું તત્ત્વ શું છે ને કેવું છે તે જાણવા-સમજવાની કોઈ દિ' દરકાર કરી નથી. દરેક વસ્તુની વ્યવસ્થા રાખનારો હું વ્યવસ્થાપક છું એમ હું માને પણ ભાઈ ! એ તારો મિથ્યા ભ્રમ છે; કેમકે તારા કારણથી બીજી ચીજમાં વ્યવસ્થા થાય તે ત્રણકાળમાં બનવું સંભવિત નથી. જગત આખુંય વાસ્તવમાં સ્વયં વ્યવસ્થિત જ પરિણમી રહ્યું છે, અને તેને જાણનારું તારું જ્ઞાન પણ વ્યવસ્થિત જ સ્વયં પરિણમી રહ્યું છે. તારે તો ભાઈ ! જાણવું જ છે,
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com