Book Title: Pravachana Ratnakar 10
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 424
________________ Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૪૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦ જોયું? જ્ઞેયોના આધારે મારું જ્ઞાન છે એમ માનનારનું જ્ઞાન જ્ઞેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું અર્થાત્ શૂન્ય થઈ ગયું, નાશ પામ્યું. મતલબ કે મિથ્યાજ્ઞાન થયું. · સ્યાદ્વાદી તો એમ માને છે કે- જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, શૈયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાન્ત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે. ' જુઓ, અનેકાન્તમય વસ્તુને જાણનાર સ્યાદ્વાદી કેવું માને છે? કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ છે. જ્ઞેયોને જાણવાપણે થયેલું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ જ છે; જ્ઞેયસ્વરૂપ થયું નથી, પણ શેયોથી પૃથક્ જ્ઞાનસ્વરૂપ જ રહ્યું છે. અહા ! આવી યથાર્થ સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે, જણાય છે. આ પ્રમાણે સ્વરૂપથી તત્પણાનો ભંગ કહ્યો. * * * હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે. : * કળશ ૨૪૯ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન * ‘પશુ: ’ પશુ અર્થાત્ સર્વથા એકાન્તવાદી અજ્ઞાની, ‘વિશ્વ જ્ઞાનં કૃતિ પ્રતવર્ષ' વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ શેયપદાર્થો આત્મા છે) –એમ વિચારીને ‘સાં સ્વતત્ત્વ-આશયા વા ' સર્વને ( –સમસ્ત વિશ્વને ) નિજતત્ત્વની આશાથી દેખીને ‘વિશ્વમય: મૂત્વા’ વિશ્વમય (સમસ્ત શૈયપદાર્થમય ) થઈને, ‘પશુ: વ સ્વચ્છન્નમ્ આવેતે' ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે-વર્તે છે........ અહાહા.....! શું કહે છે? આ શરીર, મન, વાણી ઇત્યાદિથી માંડીને છ દ્રવ્યમય આખું જગત શૈય છે, અને ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ-ચૈતન્યસ્વરૂપ પ્રભુ ભિન્ન વસ્તુ છે. બેય ભિન્ન ભિન્ન છે. છતાં એ ચીજો હું છું, તે મારી છે, અને તેને હું કરું છું એમ માનનાર એ પરસેયોને પોતાપણે માને છે, તે મિથ્યાદષ્ટિ પશુ છે, અજ્ઞાની છે- એમ કહે છે. ભાઈ! સર્વજ્ઞ ૫રમાત્માની દિવ્ય વાણીમાં આવેલી આ વાત છે. શું? કે આત્મા ચૈતન્યબિંબ પ્રભુ સદા જ્ઞાનાનંદસ્વરૂપ છે. એમાં આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પુણ્યભાવ નથી, ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઇત્યાદિ પાપભાવ પણ નથી; વળી આ શ૨ી૨, ઇન્દ્રિય, વાણી, મન, ધન, પરિજન ઇત્યાદિ જગતના પદાર્થ પણ એમાં નથી. અહા! એ સર્વ પદાર્થ એના જ્ઞાનમાં જણાવાયોગ્ય પરજ્ઞેય છે. અહા! એ પજ્ઞેયો જ્ઞાનમાં જણાય છતાં એમ નથી કે જ્ઞાન પોતાનું જ્ઞાનસ્વરૂપ છોડીને જ્ઞેયરૂપ થઈ જાય. તથા શૈયો પોતાનું સ્વરૂપ છોડીને જ્ઞાનરૂપ થઈ જાય. આ વસ્તુસ્થિતિ છે. છતાં જાણવામાં આવતા એ શૈયો બધા હું છું, તેઓ મારા છે, તેઓને હું કરું છુ Please inform us of any errors on Rajesh@Atma Dharma.com

Loading...

Page Navigation
1 ... 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479