________________
Version 001: remember to check htîp://www.AtmaDharma.com for updates ૪૦૮ : પ્રવચન રત્નાકર ભાગ-૧૦
જોયું? જ્ઞેયોના આધારે મારું જ્ઞાન છે એમ માનનારનું જ્ઞાન જ્ઞેયો પી ગયાં, જ્ઞાન પોતે કાંઈ ન રહ્યું અર્થાત્ શૂન્ય થઈ ગયું, નાશ પામ્યું. મતલબ કે મિથ્યાજ્ઞાન થયું.
· સ્યાદ્વાદી તો એમ માને છે કે- જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ (-જ્ઞાનસ્વરૂપ જ) છે, શૈયાકાર થવા છતાં જ્ઞાનપણાને છોડતું નથી. આવી યથાર્થ અનેકાન્ત સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાન (અર્થાત્ જ્ઞાનસ્વરૂપ આત્મા) પ્રગટ પ્રકાશે છે. '
જુઓ, અનેકાન્તમય વસ્તુને જાણનાર સ્યાદ્વાદી કેવું માને છે? કે જ્ઞાન પોતાના સ્વરૂપથી તસ્વરૂપ જ છે. જ્ઞેયોને જાણવાપણે થયેલું જ્ઞાન જ્ઞાનસ્વરૂપ જ છે; જ્ઞેયસ્વરૂપ થયું નથી, પણ શેયોથી પૃથક્ જ્ઞાનસ્વરૂપ જ રહ્યું છે. અહા ! આવી યથાર્થ સમજણને લીધે સ્યાદ્વાદીને જ્ઞાનસ્વરૂપ આત્મા પ્રગટ પ્રકાશે છે, જણાય છે.
આ પ્રમાણે સ્વરૂપથી તત્પણાનો ભંગ કહ્યો.
*
*
*
હવે બીજા ભંગના કળશરૂપે કાવ્ય કહેવામાં આવે છે. :
* કળશ ૨૪૯ : શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન *
‘પશુ: ’ પશુ અર્થાત્ સર્વથા એકાન્તવાદી અજ્ઞાની, ‘વિશ્વ જ્ઞાનં કૃતિ પ્રતવર્ષ' વિશ્વ જ્ઞાન છે (અર્થાત્ સર્વ શેયપદાર્થો આત્મા છે) –એમ વિચારીને ‘સાં સ્વતત્ત્વ-આશયા વા ' સર્વને ( –સમસ્ત વિશ્વને ) નિજતત્ત્વની આશાથી દેખીને ‘વિશ્વમય: મૂત્વા’ વિશ્વમય (સમસ્ત શૈયપદાર્થમય ) થઈને, ‘પશુ: વ સ્વચ્છન્નમ્ આવેતે' ઢોરની માફક સ્વચ્છંદપણે ચેષ્ટા કરે છે-વર્તે છે........
અહાહા.....! શું કહે છે? આ શરીર, મન, વાણી ઇત્યાદિથી માંડીને છ દ્રવ્યમય આખું જગત શૈય છે, અને ભગવાન આત્મા જ્ઞાનસ્વરૂપ-ચૈતન્યસ્વરૂપ પ્રભુ ભિન્ન વસ્તુ છે. બેય ભિન્ન ભિન્ન છે. છતાં એ ચીજો હું છું, તે મારી છે, અને તેને હું કરું છું એમ માનનાર એ પરસેયોને પોતાપણે માને છે, તે મિથ્યાદષ્ટિ પશુ છે, અજ્ઞાની છે- એમ કહે છે.
ભાઈ! સર્વજ્ઞ ૫રમાત્માની દિવ્ય વાણીમાં આવેલી આ વાત છે. શું? કે આત્મા ચૈતન્યબિંબ પ્રભુ સદા જ્ઞાનાનંદસ્વરૂપ છે. એમાં આ દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પુણ્યભાવ નથી, ને હિંસા, જૂઠ, ચોરી, વિષયવાસના ઇત્યાદિ પાપભાવ પણ નથી; વળી આ શ૨ી૨, ઇન્દ્રિય, વાણી, મન, ધન, પરિજન ઇત્યાદિ જગતના પદાર્થ પણ એમાં નથી. અહા! એ સર્વ પદાર્થ એના જ્ઞાનમાં જણાવાયોગ્ય પરજ્ઞેય છે. અહા! એ પજ્ઞેયો જ્ઞાનમાં જણાય છતાં એમ નથી કે જ્ઞાન પોતાનું જ્ઞાનસ્વરૂપ છોડીને જ્ઞેયરૂપ થઈ જાય. તથા શૈયો પોતાનું સ્વરૂપ છોડીને જ્ઞાનરૂપ થઈ જાય. આ વસ્તુસ્થિતિ છે. છતાં જાણવામાં આવતા એ શૈયો બધા હું છું, તેઓ મારા છે, તેઓને હું કરું છુ
Please inform us of any errors on Rajesh@Atma Dharma.com