Book Title: Pravachana Ratnakar 10
Author(s): Kanjiswami
Publisher: Kundkund Kahan Digambar Jain Trust

View full book text
Previous | Next

Page 439
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates પરિશિષ્ટ : ૪૨૩ કરે કે આ તો અમારા અંગત માણસ છે. ધૂળેય અંગત નથી સાંભળીને હવે. જ્યાં પદાર્થો જ ભિન્ન ભિન્ન છે ત્યાં અંગત કેવા? કોઈ કોઈને અંગત નથી. જેમ કોઈ તંબુ બાંધ્યો હોય અને એની એક ખીલી ખસે તો ત્યાં જીવને ભારે ઉચાટ-ખળભળાટ થઈ જાય છે, તેમ અજ્ઞાની, પરવસ્તુથી હું છું એવી દુર્વાસનાથી વાસિત થયો થકો, આત્માને-પોતાને સર્વદ્રવ્યમય માનીને-સર્વદ્રવ્યો હું જ છું એમ માનીનેજગતની બધી સગવડતાઓ-અનુકૂળતાઓમાંથી એક જ્યાં ઘટે ત્યાં હું ઘટી ગયો-ખંડખંડ થઈ ગયો –એમ ભારે રોકકળ કરી મૂકે છે. સ્ત્રી, પુત્ર, ધન, માતા, પિતા, ઇત્યાદિનો વિયોગ થતાં અજ્ઞાની ભારે આકુળ-વ્યાકુળ થઈ આક્રન્દ કરે છે. તેને કહીએ- ભાઈ ! તું અંદર જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન છો ને! ભગવાન જેવો ભગવાન અંદર હોવા છતાં આ શું કરે છે? તારાથી જુદી પડી એ ચીજ તારી ક્યાંથી આવી? ત્રણ કાળમાં તારી નથી. મોહનો દારૂ પીને જ તું આવી પાગલની ચેષ્ટા કરે છે. પરદ્રવ્યોમાં તને સ્વદ્રવ્યનો ભ્રમ છે તે ભ્રમથી દૂર થા; ને સ્વદ્રવ્યને અંગીકાર કર. અહીં કહે છે- પશુ-એકાંતવાદી અજ્ઞાની આત્માને સર્વદ્રવ્યમય માનીને, સ્વદ્રવ્યના ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે. મારો આધાર પરદ્રવ્યો જ છે એમ પદ્રવ્યોમાં જ પોતાનું અસ્તિપણું સ્થાપે છે. હું પરદ્રવ્યથી અસત્ છું, પરદ્રવ્યથી નથી, ભિન્ન છું- એમ એને બેસતું નથી. અંદર દુર્વાસના ઘર કરી ગઈ છે ને! તેથી સ્વદ્રવ્યનું ભિન્ન અસ્તિત્વ એને બેસતું નથી, પરમાં જ તે આધાર-વિશ્રામ શોધે છે, અને એ રીતે પોતાનો નાશ કરે છે. અહા ! એકાન્તવાદી અજ્ઞાની પરદ્રવ્યથી મને લાભ થાય એવી કુનયની વાસનાથી વાસિત છે. કદાચિત્ કુટુંબ-પરિવાર, ધન-લક્ષ્મી ઈત્યાદિ છોડી દે તો આ દેવ-ગુરુશાસ્ત્રથી, આ મંદિર ને આ જિનબિંબથી મને લાભ છે, એનાથી મને જ્ઞાન થાય છે એમ તે માને છે. આ પંચપરમેષ્ઠીની ભક્તિથી મને લાભ-ધર્મ થાય છે એમ તે માને છે. અરે ભાઈ ! એ પંચપરમેષ્ઠી, એ જિનબિંબ અને એ દેવ-ગુરુ-શાસ્ત્ર એ બધુંય પરદ્રવ્ય છે; એનાથી તને કેમ લાભ થાય? હવે આવી વાત એને આકરી પડે છે. શું થાય? દેવગુરુ-શાસ્ત્ર સાચું જ્ઞાન થવામાં અવશ્ય નિમિત્ત હોય છે, તથાપિ એ નિમિત્તથી અહીં (આત્મામાં) સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. નિમિત્ત હો, પણ નિમિત્ત (ઉપાદાનમાં) કાંઈ જ કરતું નથી. નિમિત્ત (કાર્ય થવામાં) અનુકૂળ છે છતાં નૈમિત્તિક ભાવને-અનુરૂપને તે કરે છે એમ નથી. અહીં (આત્મામાં) સમ્યગ્દર્શન પ્રગટ થાય છે તેમાં નિશ્ચયથી તો પોતાનું સ્વદ્રવ્ય જ (સ્વદ્રવ્યનો આશ્રય જ) કારણ છે, ને વ્યવહારે દર્શનમોહકર્મનો અભાવ તેમાં નિમિત્ત છે. (દવ-ગુરુ-શાસ્ત્ર બાહ્ય નિમિત્ત છે ). હવે ત્યાં આ અનુકૂળ નિમિત્ત છે માટે અનુરૂપ પર્યાય (સમ્યગ્દર્શન) થઈ છે એમ Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 437 438 439 440 441 442 443 444 445 446 447 448 449 450 451 452 453 454 455 456 457 458 459 460 461 462 463 464 465 466 467 468 469 470 471 472 473 474 475 476 477 478 479