Book Title: Pavitra Kalpasutra
Author(s): Punyavijay, Bechardas Jivraj Doshi, Sarabhai Manilal Nawab
Publisher: Sarabhai Manilal Nawab
View full book text
________________
છે જયન્ત વીતરાગતા
પ્રાસ્તાવિક આજે વિદ્વાનોના કરકમલમાં કલ્પસૂત્ર અને તે સાથે તેની નિયુક્તિ, ચૂર્ણ, તથા પ્રવીચન્દ્રાચાર્યવિરચિત ટિપ્પનક અર્પણ કરવામાં આવે છે. આ સૌના સંશોધન અર્થે જે પ્રાચીન-શ્રાચીનતમ તાડપત્રીય અને કાગળ ઉપર લખાયેલી પ્રતિઓને અમે કામમાં લીધી છે તેને સંપૂર્ણ પરિચય આપ અત્યારે અશક્ય હોઈ તે માટે યથાશક્ય પ્રયત્ન કરવામાં આવે છે.
કલપસૂત્રની પ્રતિઓ જ પ્રતિ–અમદાવાદ ઉજમબાઈની ધર્મશાળામાંના શ્રીમુક્તિવિજયજી (મૂળચન્દજી) મહારાજના જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રતિ.
-પ્રતિ –આ ત્રણે પ્રતિઓ ખંભાતના શ્રીશાન્તિનાથના પ્રાચીનતમ તાડપત્રીય જ્ઞાનભંડારની છે. આ પ્રતિઓ તાડપત્ર ઉપર લખાયેલી અને અનુક્રમે તેમની પત્ર સંખ્યા ૧૭૪-૮૭ અને ૧૫૬ છે.
જ પ્રતિ સચિત્ર છે અને તેના અંતમાં નીચે મુજબની ગ્રંથ લખાવનારની પુપિકા છે–
मंगलं महाश्रीः॥छ॥ शुभं भवतु श्रीसमणसंघस्य॥ श्रीमानूकेशवंशे ध्वज इव विलसत्सद्गुणौधर्वलक्ष:,
श्रेष्ठयासीद् भावडाख्यः प्रथितपृथुयशःकिंकिणीक्वाणरम्य। तत्पुत्रा : सच्चस्त्रिास्त्रय उदयमगुर्धान्धलो माधलच
श्रेष्ठी नागेन्द्र इन्द्राचलदृढविलसच्छुद्धसम्यक्त्वभाज: ॥१॥ श्रीमद्देवगुरूज्ज्वलोज्ज्वलगुणोद्गानावदानार्जित
स्फूर्जत्पुण्ययशस्तते: प्रियतमाऽभून्माधलश्रेष्ठिन:। श्रीमहानतपःसुशीलकमलासद्भावनाद्याहत
श्रीधर्माध्वनि जांधिकी सुविनयाद्यालंकृता लक्षिका ॥२॥
साधुर्यशोधवल उज्ज्वलकीर्तिपात्रं
दानेश्वर: स जनकोऽजनि बापु यस्याः ।