________________
[૧૫૩] એકવાર પણ જોવાયેલા નથી. જે કારણ માટે નહિતર હું તમને જોયા હોત તો) મર્મસ્થાનને ભેદનાર અને પ્રક ઉદય આવેલી કર્મબંધનની પ્રવૃત્તિ છે જેને વિષે એવા આ દુઃખ મને કેમ પડે? અર્થાત્ પ્રભુદર્શન કરનારને કષ્ટ પ્રાપ્ત થતું નથી ? ૩૭
હે જનહિતકારી ! મેં તમને (કેઈપણ ભવને વિષે ) સાંભળ્યા પણ છે, પૂજ્યા પણ છે, અને દીઠા પણ છે પરંતુ ભક્તિ વડે કરીને ચિત્તને વિષે નિચે ધારણ કરેલા નથી, તે કારણ માટે જ હું દુઃખનું ભાજન થયેલ છું જે કારણ માટે ભાવ રહિત ક્રિયાઓ (શ્રવણ, પૂજન, દશ નાદિ) વિશિષ્ટ ફળ આપતી નથી. ૩૮
હે નાથ ! હે દુ;ખી જને ઉપર કાબુ ! હે શરણ કરવા યોગ્ય ! હે કરુણાપણના પવિત્ર સ્થાન ! (અથવા દયા અને ધર્મના સ્થાન ) હે જિતેન્દ્રિયને વિષે શ્રેષ્ઠ ! હે મોટા ઈશ્વર તમે ભક્તિ વડે નમેલા મારા ઉપર દયા કરીને દુખની ઉત્પત્તિના કારણના ખંડનને વિષે તત્પરતા કરે ! ૩૯
હે ત્રણ ભુવનને પવિત્ર કરનાર ! અસંખ્ય બળનું ઘર ! -શરણ કરવા એગ્ય ! નાશ કર્યો છે શત્રુ જેણે એવા અને
પ્રસિદ્ધ છે પ્રભાવ જેને એવા તમારા ચરણ કમળનું પણ -શરણ પામીને જે હું ધ્યાન વડે રહિત છું તે (રાગાદિ
શત્રુ વડે) હણવા યોગ્ય છું. હા! ઈતિખેદે હું (દુદેવ - વડે) હણાયેલો છું. ૪૦