Book Title: Maitri Pramod Karuna Bhavna Ange Parishilan
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 34
________________ ભાવનામૃતમ્ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન ધાર્યું ન થાય અને દ્વેષ થાય તે પણ અપ્રશસ્ત જ છે. જેમકે- છોકરાને બે ત્રણ વાર કહેવા છતાં પૂજા કરવા ન જાય અને કમાન છટકે, એમાં ધાર્યું ન થવાના કારણે મન ઘવાયું છે, તેના કારણે દ્વેષ થયો છે, માટે તે અપ્રશસ્ત બને છે. - પ્રશસ્ત ષમાં વિવેક ચૂકાતો નથી. કારણ કે, એના કારણો પણ એકદમ પ્રશસ્ત છે અને વિવેક ચૂકાતો ન હોવાથી અન્યનું (જેના ઉપર દ્વેષ થયો છે તેનું) ખરાબ કરવાનું મન પણ થતું નથી. તેના કારણે પ્રશસ્તદ્વેષ અને હિતભાવના સ્વરૂપ મૈત્રીભાવના એક સાથે રહી શકે છે. - પ્રશસ્ત દ્વેષ થાય છે, તેમાં કોઈ સ્વાર્થ હોતો નથી અને અવિહડ નિરૂપાધિક પ્રીતિના કારણે પ્રશસ્ત દ્વેષ થયેલો હોય છે. તેના કારણે એ દ્વેષના આવેગો પણ તીવ્ર હોતા નથી, કે જેથી બીજાનું ખરાબ કરવાની ભાવના ઉભી થાય ! એમાં દ્વેષનો આવેગ હોતો નથી માટે પણ મૈત્રીભાવના જીવંત રહે છે. - અપ્રશસ્ત દ્વેષમાં વિવેક ચૂકાય છે. તેના કારણે બીજાનું ખરાબ કરવાની ભાવના પેદા થાય છે. તેથી તેની સાથે મૈત્રીભાવના ટકી ન શકે. પ્રશ્ન : હૈષ ક્યાં કરાય ને ક્યાં ન કરાય ? ઉત્તર : દેવ-ગુરુ-ધર્મ-ધર્મી અને ધર્મનાં સાધન ઉપર રાગ થાય. અને તે સિવાયના સંસારના વ્યક્તિઓ-સાધનો ઉપર રાગ કરવાનો નથી. જે પાંચ ઉપર રાગ કરવાનો છે, તે રાગ ન થવા દેતા હોય, એ કારણો ઉપર પણ દ્વેષ કરવાનો છે. - બીજો એક વિવેક કરવાનો છે કે - - કુદેવ ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે. - કુગુરુ ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે. - કુધર્મ ઉપર દ્વેષ ન થાય, પણ તેનો પરિહાર કરવાનો હોય છે.

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128