Book Title: Maitri Pramod Karuna Bhavna Ange Parishilan
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 69
________________ પ૭ પ્રશ્નોત્તરી નથી. આથી હું અને સર્વજીવો સત્તાની અપેક્ષાએ સમાન છીએ. આ તમામ જીવો પ્રત્યેની તુલ્યદૃષ્ટિથી અકૃત્રિમ સ્નેહ પણ પ્રગટે છે અને સર્વ જીવો વિષમદશામાંથી બહાર આવી સમદશા પામીને શુદ્ધદશાને વરે એવી મૈત્રીભાવના પણ પ્રગટે છે. જ્યાં સુધી મારા-તારાનો ભેદ પાડવાના સંસ્કારો જીવંત છે, પક્ષદષ્ટિ વિદ્યમાન છે અને તેના કારણે મતિ કદાગ્રહથી ગ્રસ્ત છે તથા સ્વપક્ષનો આંધળો રાગ અને પરપક્ષનો આંધળો દ્વેષ વિદ્યમાન છે, સ્વદોષનો આગ્રહ છે, બીજાના ઉત્કર્ષ પ્રત્યે ઈર્ષાભાવ છે, બીજાના સુખમાં ઈર્ષ્યા અને દુઃખમાં સંતોષ થાય છે અને અપરાધીઓ માટે ટ્રેષ-પ્રષ-વૈરની લાગણીઓ ઉભી થાય છે, ત્યાં સુધી મૈત્રીભાવનાથી અંતઃકરણને ભાવિત કરવું સહેલું નથી. અને મૈત્રીભાવનાથી અંતઃકરણ ભીંજાયું ન હોય, ત્યાં સુધી શિવમસ્તુ સર્વજ્ઞાતિઃ' ના નારા લગાડવા માત્રથી વિશ્વમૈત્રીના પ્રતિનિધિ કે વાહક બની શકાતું નથી. આથી ‘મિત્તે પે સેલ્વમૂર્ણ, વૈરું મટ્ટ ને 3 - મારે સર્વ જીવો સાથે મૈત્રી છે અને કોઈની સાથે પણ વૈર નથી- આ મૈત્રીભાવનાના ઘરનો અનાહત નાદ હૈયામાં જેણે પણ જાગતો રાખવો હોય, તેણે પૂર્વનિર્દિષ્ટ સંસ્કારો-લાગણીઓ-દોષોનો નાશ કરવો જરૂરી છે. અન્ય પ્રત્યે હૈયામાં ડંખ રાખી બહારથી સારો વ્યવહાર કરવો એ દંભ છે. અંદરથી વૈરવૃત્તિને જીવંત રાખી મૈત્રીની વાતો કરવી એ પણ દંભ છે. અન્યના તેજોવધની મલિન ભાવના સાથે વિશ્વશાંતિ-સંઘશાંતિની વાતો કરવી એ પણ દંભ છે. પ્રશ્ન : જો પ્રશસ્ત દ્વેષ વિહિત હોય, તો પછી યોગદષ્ટિ ગ્રંથમાં પ્રથમદૃષ્ટિમાં “અદ્વેષ' રાખવાનું કહ્યું છે તે કઈ રીત સંગત થાય? પ્રશસ્ત દ્વેષ અને અષ સાથે કઈ રીતે રહી શકે ? ઉત્તર : યોગદષ્ટિસમુચ્ચય ગ્રંથમાં જે અદ્વેષ રાખવાની વાત છે

Loading...

Page Navigation
1 ... 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128