Book Title: Maitri Pramod Karuna Bhavna Ange Parishilan
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 74
________________ ૬ર ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન પ્રત્યે વૈરભાવ રાખી તું શા માટે ખેદને પામે છે ? - હે આત્મન્ ! કદાચ કોઈ બીજો માણસ સ્વકર્મવશપણે કોપ કરે, તો પણ તું હૃદયમાં ક્રોધને અવકાશ શા માટે આપે છે ? આપણે તો ક્રોધને વશ થવાનું નથી પણ ક્રોધને વશમાં લેવાનો છે અને ક્ષમાભાવને આત્મસાત્ કરી હૃદયને શાંત-પ્રશાંત રાખવાનું છે. - હે આત્મન્ ! જગતમાં સપુરુષો કલહથી દૂર જ રહે છે, તેમને ક્લેશ પ્રિય હોતો નથી, એમ જાણીને તું વિવેકકળાનું સેવન કર ! અર્થાત્ તું વિવેકી હંસ જેવો બનીને અપરાધીઓ પ્રત્યે પણ સદ્ભાવનાઓ રાખ ! - હે આત્મન્ ! તું એવી ભાવના નિરંતર સેવ કે, સમસ્ત શત્રુજનો મત્સરભાવ ત્યજી દઈને સુખી થાઓ ! તથા તેઓ મોક્ષપદને પામવા માટે પણ પુરુષાર્થ કરે. - હે આત્મન્ ! જો જીવો સાચા ભાવપૂર્વક લેશમાત્ર પણ સમતારસને એકવાર આસ્વાદે, તો તે રસનો અનુભવ કર્યા પછી તેઓને તેમાં જ સ્વતઃ પ્રીતિ ઉપજશે. - હે આત્મન્ ! જગતના પ્રાણીઓ શા માટે કુમતરૂપ મદિરાપાનથી મૂચ્છિત થઈને નરક વગેરે દુર્ગતિઓમાં પડે છે તે સમજાતું નથી ! તેઓ શા માટે જિનવચનરૂપી અમૃતનું પ્રેમથી પાન કરતા નથી તે પણ સમજાવું નથી. - હે આત્મન્ ! આથી તું એવો નિરંતર વિચાર કર કે, નિર્મલ આશયવાળા જીવોના મન હંમેશાં પરમાત્મસ્વરૂપના ધ્યાનમાં લીન રહે! તથા જગતના જીવો વિનયસહિત ઉપશમરૂપી અમૃતનું પાન કરે અને જલ્દી સુખી થાય ! 6 નિષ્કર્ષ-જ્ઞાનીઓનો ઉપદેશ : મૈત્રીભાવનાના અનુસંધાનમાં એ જ અંતિમ નિષ્કર્ષ છે કે, સર્વજીવો

Loading...

Page Navigation
1 ... 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128