Book Title: Maitri Pramod Karuna Bhavna Ange Parishilan
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 99
________________ 87. પ્રકરણ-૪ઃ કરૂણાભાવના - આ વાતને સમજવા માટે શ્રી વાલી મુનિનું દૃષ્ટાંત સમજવું અત્યંત આવશ્યક છે. શ્રી વાલીમુનિ જ્યારે અષ્ટાપદ પર્વત ઉપર ધ્યાન કરી રહ્યા હતા, તે સમયે રાવણ પોતાના પુષ્પક નામના વિમાનમાં ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. ત્યાં તેમનું વિમાન અટકી પડતાં તપાસ કરી, અને અષ્ટાપદ પર્વત ઉપર વાલમુનિને ધ્યાન કરતા જોયા અને પૂર્વનો વૈરભાવ જાગૃત થયો, ક્રોધને વશ થયેલો રાવણ તીર્થ તથા મુનિ પ્રત્યેના કર્તવ્યને ભૂલીને વાલી મુનિનો નાશ કરવા અષ્ટાપદ પર્વત સાથે વાલિમુનિને સમુદ્રમાં ફેંકવા તૈયાર થયા. તીર્થનો નાશ અને અનેક જીવોનો સંહાર થતો જોઈ, તે સમયે વાલી મુનિ જે સ્થિતિમાં હતા, તે સ્થિતિમાં તેઓ જે વિચારણા કરી રહ્યા હતા, તે પ્રત્યે જો યોગ્ય રીતે લક્ષ્ય આપવામાં આવે, તો સમજી શકાય તેમ છે કે, તીર્થ-શાસન આદિની આપત્તિ કે નાશના સમયે માત્ર તપ, ત્યાગ, વ્રતપાલન અને સમતાની વાત કરવી; તે કેટલી અયોગ્ય, અહિતકર અને આત્મઘતક છે. - શ્રી વાલી મુનિની તે સમયની સ્થિતિ તથા વિચારણા રજુ કરતાં કલિકાલ સર્વજ્ઞ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મહારાજે ત્રિષષ્ટિના સાતમા પર્વમાં નીચે મુજબની નોંધ કરી છે. અરે ! આ દુર્મતિ રાવણ મારા પ્રત્યેના માત્સર્યથી આજે પણ અકાળે અનેક પ્રાણીઓનો સંહાર કેમ કરી રહ્યો છે ?" ભરતેશ્વર દ્વારા નિર્મિત થયેલ ચૈત્યનો નાશ કરીને અત્યારે આ રાવણ ભરતક્ષેત્રના અલંકાર સમા આ તીર્થનો નાશ કરવાનો યત્ન કરે છે !!!" 1. વર્થ નથિ માર્યાયમરિ તુર્મતિઃ | अनेकप्राणिसंहारमकाण्डे तनुतेतराम् // 249 / / 2. ભરતેશ્વરચૈત્ય ર, બંધિત્વેષ અતિ यतते तीर्थमुच्छेत्तुं भरतक्षेत्रभूषणम् // 250 // - ત્રિષષ્ટિશનાલાપુરુષવરિત્ર પર્વ-૭, સ-૨

Loading...

Page Navigation
1 ... 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128