Book Title: Maitri Pramod Karuna Bhavna Ange Parishilan
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 128
________________ मैत्री परेषां हितचिंतनं यत्, भवेत् प्रमोदो गुणपक्षपातः। कारुण्यमार्ताऽङ्गिरुजां जिहीर्ष-त्युपेक्षणं दुष्टधियामुपेक्षा॥13॥ - અન્ય જીવોના હિતનું ચિંતન કરવું તેને મૈત્રીભાવના કહેવાય છે. ગુણવાન પુરષોના ગુણોનો પક્ષપાત હોવો અર્થાત્ ગુણો જોઈને આનંદ થવો તેને પ્રમોદભાવના કહેવાય છે. દુ:ખી જીવોના દુ:ખને દૂર કરવાની ઈચ્છા હોવી તેને કરુણાભાવના કહેવાય છે. દુષ્ટબુદ્ધિવાળા જીવોની ઉપેક્ષા કરવી અર્થાત્ તેમના ઉપર રાગ-દ્વેષરહિતપણે વર્તવું તેને માધ્યચ્ય =ઉપેક્ષા ભાવના કહેવાય છે. - શાંતસુધારસ मैत्री निखिलसत्त्वेषु, प्रमोदो गुणशालिषु / માધ્યચ્યવનપુ, રુબા દુઃgિ 12-6I - સર્વ જીવો ઉપર મૈત્રીભાવના, ગુણવાન જીવો પ્રત્યે પ્રમોદભાવના, અવિનીત (પાપી) જીવો ઉપર માધ્યશ્ય ભાવના અને દુખી જીવો ઉપર કરુણાભાવના જાણવી. અર્થાત્ મૈત્રી ભાવનાનો વિષય જગતના સર્વ જીવો છે. સર્વ જીવોના હિતનું ચિંતન કરવાનું છે. પ્રમોદભાવનાનો વિષય ગુણવાન પુરુષો છે. માધ્યશ્મભાવનાનો વિષય અવિનીત-દુર્બદ્ધિવાળા પાપી જીવો છે. અને કરુણા ભાવનાનો વિષય શારીરિક અને માનસિક રીતે દુ:ખી જીવો છે. - યોગસાર શ્રી સમ્યજ્ઞાની પ્રચાસ્ક સમિતિ, Msmta Creation#7738408740

Loading...

Page Navigation
1 ... 126 127 128