Book Title: Maitri Pramod Karuna Bhavna Ange Parishilan
Author(s): Sanyamkirtivijay
Publisher: Samyaggyan Pracharak Samiti

View full book text
Previous | Next

Page 96
________________ જ ભાવનામૃત-Iઃ મૈત્રી-પ્રમોદ-કરુણાભાવના અંગે પરિશીલન - પ્રમોદભાવનાનો વિષય ગુણવાન પુરુષો છે. - માધ્યશ્યભાવનાનો વિષય ક્રૂર-અવિનયી-દુષ્ટ સ્વભાવવાળા જીવો છે. - કરૂણાભાવનાનો વિષય દીન, આર્ત (દુઃખી-પીડિત), ભયભીત અને જીવનની યાચના કરનારા જીવો છે. - દીન આદિ જીવોનું સ્વરૂપ સમજાવતાં યોગશાસ્ત્રની ટીકામાં જણાવ્યું છે કે - દીન = મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન અને વિભંગ જ્ઞાનના બળથી પ્રવર્તાવેલાં કુશાસ્ત્રોથી જેઓ સ્વયં નષ્ટ થયા હોય અને અન્યનો પણ નાશ કરતા હોય, આ જ કારણે દયાનું ભોજન બનેલા હોય, તે દીન કહેવાય. આર્ત = નવા નવા વિષયોને મેળવવા અને પહેલાં મેળવેલા વિષયોનો પરિભોગ કરવાથી ઉત્પન્ન થયેલી તૃષ્ણાથી જેઓ બળી ઝળી રહ્યા હોય, હિતકર પ્રવૃત્તિનો સ્વીકાર અને અહિતકર પ્રવૃત્તિનો બહિષ્કાર કરવાને બદલે ઉધું જ વર્તન કરતા હોય તથા ધન વગેરેનું અર્જન, રક્ષણ અને નાશના દુઃખથી દુઃખી હોય, તે આર્ત કહેવાય છે. આ 1. टीकाः- दीनेषु मति-श्रुताज्ञान-विभङ्गबलेन प्रवर्तितकुशास्त्रेषु स्वयं नष्टेषु परानपि नाशयत्सु अत एव दयास्पदत्वाद्दीनेषु / तथाऽऽर्तेषु नवनवविषयार्जनपूर्वार्जितपरिभोगजनिततृष्णाग्निना दन्दह्यमानेषु, हिताहितप्राप्तिपरिहारविपरीतवृत्तिषु સર્વનરક્ષUવ્યથનાશ પડાવસ્ 2 | x x xI. तेषु दीनादिषु 'अहो कुशास्त्रप्रणेतारः तपस्विनो यदि कुमार्गप्रणयनान्मोच्येरन्, भगवानपि हि भुवनगुरुः उन्मार्गदेशनात् सागरोपमकोटिकोटिं यावद् भवे भ्रान्तः, तत् काऽन्येषां स्वपापप्रतीकारं कर्तुमशक्नुवतां गतिः ? तथा 'धिगमी विषयार्जनभोगतरलहृदया अनन्तभवानुभूतेष्वपि विषयेष्वसंतृप्तमनसः कथं नाम प्रशमामृतતૃતિયાં વીતરા/દ્વિશાં નેતું શક્યા ? x x x I. इत्येवं प्रतीकारपरा या बुद्धिः, न तु साक्षात् प्रतिकार एव, तस्य सर्वेष्वशक्यक्रियत्वात्, सा कारुण्यमभिधीयते // 120 // - योगशास्त्र-प्रकाश ४-श्लोक-१२० //

Loading...

Page Navigation
1 ... 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128