Book Title: Mahavirnu Ahimsa Darshan Author(s): Mahapragna Acharya Publisher: Anekant Bharati Prakashan View full book textPage 4
________________ Ric: સાધના વગર સાધ્યને પામવાની આકાંક્ષા રાખવી તે અચરજની વાત છે. એવું અચરજ વર્તમાનમાં જોવા મળે છે. શાંતિની ઝંખના વ્યક્તિના મનમાં પણ છે અને રાષ્ટ્રના અંત:તલમાં પણ છે, પરંતુ તે માટે સાધનાની યોગ્ય પસંદગીની નિષ્ઠા બંનેમાં નથી ! શું અહિંસા વગર શાંતિ શક્ય છે ખરી ? અશક્યને શક્ય બનાવવાની ધૂનમાં માણસ ડૂબેલો છે. એક તરફ તે હિંસાને પ્રોત્સાહન આપી રહ્યો છે અને બીજી તરફ શાંતિની શોધમાં કસ્તુરી મૃગની જેમ ભટકી રહ્યો છે. ભગવાન મહાવીરની વાણીમાં હિંસાનાં કારણોની એક દીર્ઘ યાદી છે. જેટલાં કારણો હિંસાનાં છે, તે તમામ કારણો અશાંતિનાં છે. કારણનું નિવારણ થતાં કાર્ય આપોઆપ નિષ્પન્ન થઈ રહે છે. પ્રસ્તુત ગ્રંથમાં શાંતિ અને અહિંસાને મહાવીરનું અહિંસા-દર્શન - 3 Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 210