Book Title: Logassa Mahasutra Yane Jain Dharmno Bhaktiwad
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Pragna Prakashan Mandir

View full book text
Previous | Next

Page 12
________________ સૌજન્યમૂતિ સ્વ. શ્રીમાન રમણીકલાલ નાનચંદ શાહ [ટૂંક જીવનપરિચય) સૌરાષ્ટ્રના સપુતોએ જીવનનાં વિવિધ ક્ષેત્રમાં અને ઇતિહાસ સજોલે છે. આ ઈતિહાસનું એક પ્રાણવંત પૃષ્ઠ લખવામાં શ્રીમાન રમણીકલાલ નાનચંદ શાહ સદા પ્રયત્નશીલ રહ્યા હતા, તેથી તેમને પરિચય કરાવતાં અમને આનંદ થાય છે. . તેમનો જન્મ ભાવનગર નજીક વરતેજ ગામમાં ઘોઘારી વીશાશ્રીમાલીજ્ઞાતીય શેઠશ્રી નાનચંદ તારાચંદને ત્યાં સને ૧૯૧૦ના માર્ચ મહિનાની બીજી તારીખે થયું હતું. આ કુટુંબ જૈનધર્મપરાયણ હવાથી દયા, દાન અને પરોપકારના સંસ્કારો તેમને વારસામાં મળ્યા હતા. વળી સિદ્ધાચલ તીર્થ સમીપ હોવાથી અને ભાવનગર જૈનેનું એક મહત્વનું કેન્દ્ર હોવાથી અહીં સાધુ-સાધ્વીઓનું આગમન વારં વાર થતું, તેમના દર્શન-સમાગમને લાભ પણ તેમને સારી રીતે મળ્યો હતો. પરિણામે તેમના જીવનમાં સુસંસ્કારે અને સદ્ભાવનાની. સૌરભ પ્રટી હતી. યુવાન વયે તેઓ શ્રીમતી ચંચલબહેન સાથે લગ્ન-ગ્રંથિથી. જોડાયા હતા અને અનુક્રમે કિશોરભાઈ પુષ્પાબહેન, અરૂણાબહેન તથા અનિલાબહેનના પ્રેમાળ પિતા બન્યા હતા. આ વખતે ઘણા ઘોઘારી જેને બેંગલેરમાં વસી જુદા જુદા ધંધાઓમાં સ્થિર થયા હતા, એટલે શ્રીરમણીકભાઈને બેંગલર પ્રત્યે આકર્ષણ થયું. તેઓ ત્યાં પહોંચી કાપડને ધંધો કરવા લાગ્યા, પરંતુ ભવિતવ્યતા જુદી જ નિર્માણ થયેલી હતી, એટલે તેઓ થોડા વખતમાં જ બેંગલેર છોડી મુંબઈ આવ્યા અને તેમના કાકા શ્રીમાન મેહનલાલ તારાચંદ સાથે જોડાઈ ફીલ્મ વ્યવસાયને આર્થિક ધીરાણ કરવા લાગ્યા.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 546