________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૪). દિન એક સ્વપ્ન આવીયું, અબુંદ ઉપર અબધૂ હતું,
દિન એક સ્વપ્ન આવીયું, રસ બસ વિલામાં હતું, ઉઘડી ગઈ મુજ આંખડી, અબુદ નહી અબધૂ નહી;
પ્યારા વિલાસ પ્રસંગમાં, રસ બસ નહી તલ્લીન નહી. ૨ દિન એક સ્વપ્ન આવીયું, ખારા મજાના સુત હતા;
દિન એક સ્વપ્ન આવીયું, મિત્રો મલ્યા ઉત્તમ હતા; દિન એક સ્વપ્ન આવીયું, હતી બાદશાહી નયનમાં
જાગી અને જોયું તદા, સુત મિત્ર સત્તા કંઈ નહી. ૩ સ્વપ્નાં તણું જંજાળને, ના સત્ય બાપુ? માન જે;
ઝાકળ તણાં એ બિન્દુએ, નહિ સત્ય નૈક્તિક જાણજે; ઉડી જશે પળવારમાં, વિરહાશ્રુભર રડવું થશે
રડવા પછી હસવું થશે, હસવા પછી રડવું થશે. ૪ સમજે હવે હું સત્ય કે, રડવા તણું મૂળ હાસ્ય છે;
સમયે વળી હું સત્યકે, અંધાર મૂળ પ્રકાશ છે, રવું નહીં કદિએ અને, હસવું હવે કદિએ નહીં,
હસવા તથા રેવા તણા, ઉદ્યાનમાં વસવું નહી. ૫
यथा स्वग्नप्रपञ्चोऽयं मयि माया विभितः, तथा विश्वप्रपञ्चोऽयं मयि माया विमुंभितः ॥ १॥
इतियोग. અર્થ-જેમ સ્વમના પ્રપંચ નાના પ્રકારના ઉત્પન્ન થાય છે, તે સર્વ જાગ્રત કાળમાં અસત્ય છે, એમ જ્ઞાન કાળમાં જાગ્રત કાળના સર્વ પ્રપંચ અસત્ય છે.
For Private And Personal Use Only