Book Title: Kalashamrut Part 5 Author(s): Kanjiswami Publisher: Digambar Jain Swadhyay Mandir Trust View full book textPage 4
________________ 3 પ્રકાશકીય નિવેદન વર્તમાન તીર્થના નાયક ચરમ તીર્થંકર શ્રી મહાવીરભગવાનથી પ્રગટ થયેલી દિવ્યધ્વનિની પરંપરામાં દ્વિતિય શ્રુતસ્કંધની રચના થઈ. આશરે ૨૦૦૦ વર્ષ પૂર્વે શ્રીમદ્ ‘કુંદકુંદઆચાર્ય’ થયા, જેમનું સ્થાન જૈન પરંપરામાં સર્વોત્કૃષ્ટ છે. તેઓશ્રીએ સદેહે વિદેહક્ષેત્રની જાત્રા કરી, શ્રી ‘સીમંધર’ ભગવાનના સાક્ષાત્ દર્શન કરી, તેઓશ્રીની વાણી સાંભળી. ત્યાંથી પાછા આવી વર્તમાનમાં ઉપલબ્ધ શાસ્ત્રોમાંનું સર્વોત્કૃષ્ટ શાસ્ત્ર શ્રી ‘સમયસારજી’ની રચના કરી. આશરે ૧૦૦૦ વર્ષ પૂર્વે શ્રીમદ્ ‘અમૃતચંદ્રઆચાર્ય' નામના પ્રખર આચાર્ય થયાં. તેઓશ્રીએ શ્રી સમયસારજી શાસ્ત્રની ટીકા કરી તથા મંદિર ૫૨ શોભીત કળશની જેમ ટીકા પર કળશરૂપી શ્લોકોની રચના કરી. કાળક્રમે જેમ જેમ જીવોનો ક્ષયોપશમ ઘટતો ગયો તેમ આચાર્ય ભગવંતોના ભાવો જીવોને સમજવા કઠીન લાગતાં, શ્રી રાજમલ્લજી પાંડે’એ ‘અમૃતચંદ્રઆચાર્ય'ના કળશો ઉપ૨ સાદી દેશભાષામાં ટીકા કરી. આ ટીકામાં તેઓશ્રીએ શ્લોકના શબ્દોના સીધા અર્થો કરવા કરતાં તેના અનુભવગર્ભિત સારરૂપ ભાવાર્થ સહિત ટીકાની રચના કરી. શ્રી ‘સમયસારજી” શાસ્ત્ર ઉપર ઘણાં આચાર્યો તથા જ્ઞાની પંડિતોએ ટીકા કરી છે. પરંતુ પંડિત શ્રી રાજમલ્લજી'ની ટીકા પૂજ્ય ‘ગુરુદેવશ્રી’ને એટલી પસંદ પડી ગઈ કે તેઓશ્રીએ તેનો અનુવાદ કરવાની પ્રેરણા આપી તેના ઉપર સાદી ભાષામાં ભાવવાહી પ્રવચનો આપ્યાં. - આ પ્રવચનો પૈકી કલશામૃત ભાગ ૧થી૪ આ સંસ્થા તરફથી પ્રકાશિત થઈ ચૂક્યા છે. તેનો જ ભાગ પ પ્રકાશિત કરતાં સંસ્થા હર્ષનો અનુભવ કરે છે. અગાઉના ૪ ભાગોમાં પૂજ્ય ગુરુદેવશ્રી’ના પ્રવચનો સંકલિત કરીને પ્રકાશિત થયા હતા. આ પાંચમાં ભાગમાં પૂજ્ય ‘ગુરુદેવશ્રી’ના પ્રવચનો અક્ષરશઃ પ્રકાશિત કર્યાં છે. જેથી મુમુક્ષુઓને પ્રવચનોની ટેપ સાંભળતી વખતે સાથે રાખી શકાશે. આ ભાગમાં નિર્જરા અધિકાર, બંધ અધિકા૨ તથા મોક્ષ અધિકારના થોડા કળશોPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 609