Book Title: Jinagam Sharanam Mama
Author(s): Agamoddharak Pratishthan
Publisher: Agamoddharak Pratishthan

View full book text
Previous | Next

Page 254
________________ અંગસૂત્ર - ૬/૧૧ શ્રી જ્ઞાતાધર્મકથા – ૬ - આ આગમમાં મહાપુરુષોના જીવનની સત્ય ઘટનાઓ અને ઔપદેશિક કથાનકોનો વિપુલ સંગ્રહ છે. જેથી બાલજીવો ધર્મપ્રતિ અનુરાગવાળા થાય. પ્રાચીનકાળમાં આ આગમ માટે એવી વાત નોંધાયેલ છે કે પ્રથમ શ્રુતસ્કંધના છેલ્લા નવ અધ્યયન પૈકી દરેકમાં ૫૦૦ આખ્યાયિકા, દરેક આખ્યાયિકામાં ૫૦૦ ઉપઆખ્યાઓ, દરેક ઉપઆખ્યાયિકામાં ૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકાઓ છે. આ રીતે ૯ X પ૦૦ X ૫૦૦ x ૫૦૦ = ૧,૨૧, ૫૦,૦૦,૦૦૦ (એક અબજ એકવીશ કરોડ પચાસ લાખ કથાઓ) આ રીતે બીજા શ્રુતસ્કંધના દરેક વર્ગમાં ૫૦૦ આખ્યાયિકા, દરેક આખ્યાયિકામાં ૫૦૦ ઉપાખ્યાયિકાઓ, દરેક ઉપાખ્યાયિકામાં પ૦૦ આખ્યાયિકો પાખ્યાયિકાઓ એટલે કે ૧,રપ,૦૦,૦૦,૦૦૦ (એક અબજ પચ્ચીસ કરોડ કથાઓ) હતી. આજે આ બધી ઉપલબ્ધ નથી. પરિચય : આ આગમમાં બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં કેટલાક રૂપક કલ્પિત દૃષ્ટાંતોથી સન્માર્ગ દર્શાવ્યો છે. બીજા વિભાગમાં મહાપુરુષોના જીવન ચરિત્રો છે. આ આગમના રોચક દૃષ્ટાંતો બાળ જીવનને ધર્મ માર્ગમાં સ્થિર કરનાર છે. ટીકા - ૩૮૦૦ શ્લોક પૂ. અભયદેવ સૂરિજી મૂળ સૂત્ર ૫૪૦૦ શ્લોક પ્રમાણ ૯૨૦૦ શ્લોક પ્રમાણ અંગસૂત્ર ૭/૧૧ શ્રી ઉપાસક દશા સૂત્ર - ૭ આ આગમમાં પ્રભુ મહાવીર પરમાત્માના શાસનને ગૃહસ્થ જીવનમાં અનેક ઉપાધિઓ વચ્ચે ઘેરાયેલી સ્થિતિમાં પણ જીવનમાં ઉતારનાર પુણ્યાત્મા સ્વનામધન્ય દશ મહાશ્રાવકોના જીવન સંબંધી રોચક સંક્ષિપ્ત વર્ણન છે. આ આગમમાં પ્રાસંગિક ગોપાલક'નો નિયતિવાદ તેમ જ ગોશાલકે પ્રભુ મહાવીરને આપેલી મહાબ્રાહ્મણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથી અને મહાનિર્યાચકની યથાર્થ ઉપમાઓનું વર્ણન આદિ પણ સુંદર રીતે વર્ણવેલું છે. પરિચય : આ આગમમાં૧૦ અધ્યયન છે. કુલ ૫૯ સૂત્રો છે. અસ્તિત્વનો આદર-આગમ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294