________________
અંગસૂત્ર - ૬/૧૧
શ્રી જ્ઞાતાધર્મકથા – ૬ - આ આગમમાં મહાપુરુષોના જીવનની સત્ય ઘટનાઓ અને ઔપદેશિક કથાનકોનો વિપુલ સંગ્રહ છે. જેથી બાલજીવો ધર્મપ્રતિ અનુરાગવાળા થાય. પ્રાચીનકાળમાં આ આગમ માટે એવી વાત નોંધાયેલ છે કે પ્રથમ શ્રુતસ્કંધના છેલ્લા નવ અધ્યયન પૈકી દરેકમાં ૫૦૦ આખ્યાયિકા, દરેક આખ્યાયિકામાં ૫૦૦ ઉપઆખ્યાઓ, દરેક ઉપઆખ્યાયિકામાં ૫૦૦ આખ્યાયિકોપાખ્યાયિકાઓ છે. આ રીતે ૯ X પ૦૦ X ૫૦૦ x ૫૦૦ = ૧,૨૧, ૫૦,૦૦,૦૦૦
(એક અબજ એકવીશ કરોડ પચાસ લાખ કથાઓ)
આ રીતે બીજા શ્રુતસ્કંધના દરેક વર્ગમાં ૫૦૦ આખ્યાયિકા, દરેક આખ્યાયિકામાં ૫૦૦ ઉપાખ્યાયિકાઓ, દરેક ઉપાખ્યાયિકામાં પ૦૦ આખ્યાયિકો પાખ્યાયિકાઓ એટલે કે ૧,રપ,૦૦,૦૦,૦૦૦ (એક અબજ પચ્ચીસ કરોડ કથાઓ) હતી. આજે આ બધી ઉપલબ્ધ નથી. પરિચય :
આ આગમમાં બે વિભાગ છે. પ્રથમ વિભાગમાં કેટલાક રૂપક કલ્પિત દૃષ્ટાંતોથી સન્માર્ગ દર્શાવ્યો છે. બીજા વિભાગમાં મહાપુરુષોના જીવન ચરિત્રો છે. આ આગમના રોચક દૃષ્ટાંતો બાળ જીવનને ધર્મ માર્ગમાં સ્થિર કરનાર છે.
ટીકા - ૩૮૦૦ શ્લોક પૂ. અભયદેવ સૂરિજી મૂળ સૂત્ર ૫૪૦૦ શ્લોક પ્રમાણ
૯૨૦૦ શ્લોક પ્રમાણ
અંગસૂત્ર ૭/૧૧ શ્રી ઉપાસક દશા સૂત્ર - ૭
આ આગમમાં પ્રભુ મહાવીર પરમાત્માના શાસનને ગૃહસ્થ જીવનમાં અનેક ઉપાધિઓ વચ્ચે ઘેરાયેલી સ્થિતિમાં પણ જીવનમાં ઉતારનાર પુણ્યાત્મા સ્વનામધન્ય દશ મહાશ્રાવકોના જીવન સંબંધી રોચક સંક્ષિપ્ત વર્ણન છે. આ આગમમાં પ્રાસંગિક ગોપાલક'નો નિયતિવાદ તેમ જ ગોશાલકે પ્રભુ મહાવીરને આપેલી મહાબ્રાહ્મણ, મહાગોપ, મહાસાર્થવાહ, મહાધર્મકથી અને મહાનિર્યાચકની યથાર્થ ઉપમાઓનું વર્ણન આદિ પણ સુંદર રીતે વર્ણવેલું છે. પરિચય :
આ આગમમાં૧૦ અધ્યયન છે. કુલ ૫૯ સૂત્રો છે.
અસ્તિત્વનો આદર-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org