Book Title: Jainaradhnani Vaignanikta
Author(s): Shekharchandra Jain
Publisher: Samanvay Prakashak

View full book text
Previous | Next

Page 186
________________ [૧૩] બધાજ ફરકાઓમાં ખૂબ શ્રદ્ધા અને સૂક્ષ્મતાથી વર્ણવવામાં આવેલ છે અને જૈનદર્શનમાં સાધનાની ચરમ ઉપલબ્ધિ તે સ્વર્ગનું સુખ નથી કે ભૌતિક સુખ નથી પરંતુ મેક્ષ અથવા શાશ્વત સુખ છે કે જે પ્રાપ્ત કર્યા પછી સંસારના આવા ગમનના દુઃખથી મુકિત પ્રાપ્ત કરી શકાય દર્શન, જ્ઞાન, ચારિત્ર્યની સાથે “સમ્યફ વિશેષણ જોડવામાં આવેલું છે. “સમ્યક વિશેષણ તેની સત્યતા અને ઈષ્ટાર્થના અર્થમાં કરવામાં આવે છે. બીજી દષ્ટિએ એમ કહી શકાય કે વસ્તુના સ્વરૂપને તેના મૂળ સ્વરૂપમાં જોવા અને જાણવાની પદ્ધતિ એટલે સમ્યક્ પદ્ધતિ આ રીતે સત્યરૂપે જેવું એ સમ્યફ દર્શન છે સાચુ જ્ઞાન પ્રાપ્ત કરવું તે સમ્યફ જ્ઞાન છે અને યથાર્થ ચારિત્ર્ય ધારણ કરવું તે સમ્યક્ ચારિત્ર્ય છે “સમ્યફ શબ્દ મૂકવા પાછળને આશય એ છે કે લેકમાં અનેક પ્રકારના દર્શને, મંત્ર-તંત્ર, વગેરેના આકર્ષણે સત્યથી દુર લઈ જાય છે અને લેકે શીબ, ભૌતિક સુખની જંખનામાં સમાર્ગને ભૂલીને ભટકે છે એટલે આ સમ્યક્ તે મિથ્યાતથી બચાવે છે માટે “સમ્યક’ શબ્દની વિશેષ મહત્તા છે. સમ્યગ્દર્શન સમ્યગ્દર્શનને સરળ અર્થ શ્રદ્ધા, રૂચિ કે પ્રતિતી થાય છે. અને દર્શનમાં જેવું અર્થાત્ વસ્તુના સાચા સ્વરૂપને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208