Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શકાને સંચય | ૨૯૩ શંખેશ્વર-શલાકા ૧૪૨૪ દેવવિજય ૧૭૮૪ શાલિભદ-, ૧૪૩૯ સિંહ (કનકપ્રિયના શિષ્ય) ૧૭૮૧ આ બધા શલકામાં મૃ. ૧૫૩ ઉપર અપાયેલ જુઠાતપસીને લેાકો અને પૃ. ૧૦૯૪માં અપાયેલ લાશાહનો શકો નોંધવા રહી ગયા છે. એને ગણતરીમાં લેતાં એકંદર સોળ શલકાને ભિન્ન ભિન્ન કૃતિ ગણી શકાય તેમ છે. “સૂર્યપુરનો સુવર્ણયુગ” એ નામના પુસ્તકમાં પૃ. ૮૭–૧૦૫માં લક્ષ્મીવિજયના શિષ્ય અમરવિજયે વિ. સં. ૧૭૭૦માં રચેલો “સિદ્ધાચલનો સલોકે” છપાયેલે છે, વિશેષમાં બાલાભાઈ છગનલાલ તરફથી ઈ. સ. ૧૯૦૫માં પ્રસિદ્ધ થયેલી શ્રી જૈન સક્ઝાયમાલા (ભા. ૨) માં આ ઉપરાંત નીચે મુજબના પાંચ શેકા છે – ક્રોધને શલાકે (પૃ. ૬૯-૭૦) માનનો , (પૃ. ૭૦). માયાને , (પૃ. ૭૦–૭૧) લોભનો , (પૃ. ૭૧-૭૨) શાલિભદ્રનો , (પૃ. ૪૮-૫૦) આમ એકંદર એકવીસ શલાકા થયા. જન અતિહાસિક ગૂર્જર કાવ્ય સંચય (પૃ. ૧૯૬-૨૦૨)માં નિયવિજયના શિષ્ય કુંવરજયકુત “શ્રીહીરવિજયસૂરિ-શલોકા” છપાય છે. પણ એને કર્તાએ કોઈ સ્થળે લોકો’ એમ ઓળખાવેલ હેય એમ જણાતું નથી એટલે ખરી રીતે એ ‘સલોકે કેમ ગણાય એવો પ્રશ્ન ઊઠે છે. તેમ છતાં એને પણ “શલોકે' ગણીએ તો કુલ્લે બાવીસ શલેકા થાય છે. આ બાવીસ શલકાને અકારાદિ ક્રમે હવે વિચાર કરીશું– [ ] આદિનાથ- શલોકો યાને અષ્ટાપદ-શલોકો આ પંચાવન કડીને લોકે છે. એમાં આ અવસર્પિણીમાં થઈ ગયેલા ચોવીસ તીર્થકર પૈકી કેણું ક્યાં અને ક્યાં તીર્થમાં સિદ્ધ થયા તેનો ઉલ્લેખ છે. જેમ કે અષ્ટપદ ઉપર આદીશ્વર, ચંપામાં શ્રી વાસુપૂજ્ય, ગિરનાર ગિરિ ઉપર શ્રી નેમિનાથ, પાવામાં વીર પ્રભુ અને બાકીના વીસ સમેતશિખર ઉપર સિદ્ધ થયા. આ શલોકાની પહેલી ત્રણું અને છેલ્લી બે કડીઓ જ. ગૂ. ક. (ભાગ ૩, ખંડ ૨, પૃ. ૧૭૪૫) પૂરી પાડે છે. એમાં આ કૃતિને કર્તાએ “ શકો” એવું નામ આપેલું નથી, છેલ્લી કડીમાં કર્તાએ પોતાનો પરિચય નીચે મુજબ આપે છે – શ્રી વિજે રતનસૂરિ ગછનાયક વારે, ચોસઠમેં પાટ શ્રીપૂજ્ય ત્યારે; કહે વનીતવિમલ કર જોડી, એ ભણતાં આ સંપત દોડી.” આ શકાને પૃ. ૧૩૪૫માં અષ્ટાપદ–શલાકો કહ્યો છે. એ નામ કે આદિનાથશકે એ નામ અણુ કેવી રીતે સમુચિત છે તે સમજાતું નથી. હું તો એનો વિષય જોતાં એને નિર્વાણુતીર્થ–શકે એવું નામ આપવા લલચાઉં છું [ ૨ ] ક્રોધને–શકો શ્રી જેને સજઝાયમાળા (ભા. ૨) માં આ કૃતિ છપાયેલી છે. એમાં અગાર કડી છે. એની પહેલી કડી નીચે મુજબ છે – For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40