Book Title: Jain_Satyaprakash 1946 09
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 11
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અંક ૧૨ ] શકાન સંચય [ ૨૭ “સરસતિ માતા તમ પાયે લાગુ, કહેવા લોકો વરદાન માગું, શાળિભદ્રને કહું રે સલોકે, એક મને કરિ સાંભળજે લોકે.” આ ઉપરથી આ શાળિભદ્રને ઉદ્દેશીને રચાયેલો “સલોકે' છે એ વાત સ્પષ્ટ થાય છે. અંતિમ કડી નીચે પ્રમાણે છે – એહ “સલોકે' સુણે ને ગાય, તેહનાં પાતક દુર પલાય એહ “સલોકે' શોધી શુદ્ધ કે, ઋષિ ખેડાજીનો મનોરથ સીળો, કર આમ આ કડીમાં આ કૃતિને સલોકા તરીકે ઓળખાવાઈ છે. આ કૃતિ સંપૂર્ણ તયા “શ્રી જૈન સઝાયમાળા” (ભા. ૨ માં છપાયેલી છે. [ ૨૨ ] સિદ્ધાચળ–શલોકો આ અમરવિજયની કૃતિ છે. એમાં ૧૪૧ કડી છે, એની છેલ્લી કડીમાં “સલે કે સારો સિદ્ધાચલ કેરો” એવી પંક્તિ છે. એ ઉપરથી મેં આ નામ યોજયું છે. એની બીજી કડી “સંઘવી પ્રેમજીનો કહું રે સલોકે” એ પ્રમાણે શરૂ થાય છે. એ ઉપરથી આને આપણે “સંધવીનો શોકેએ નામે પણ ઓળખાવી શકીએ. આ સંઘવીએ સુરતથી સિદ્ધાચળનો સંઘ કાઢ્યો હતો અને એનું વર્ણન આ શકામાં છે. આ લોકો છપાથેલે છે એ વાત આપણે પહેલાં નોંધી ગયા છીએ. - આ પ્રમાણે બાવીસ શલાકા વિષે અંગુલીનિર્દેશ પૂરા થવા આવે છે એટલે એમાંથી ફલિત થતા કેટલાક મુદ્દાઓ હું રજુ કરું છું – (૧) વિવેકવિલાસ–શલોકો તેમ જ ક્રોધા, માન, માયા અને લેભને લગતે એકેક શકે એ કોઈ વ્યક્તિને ઉદ્દેશીને નથી, જ્યારે બીજા બધા શલેકા પૌરાણિક કે ઐતિહાસિક વ્યક્તિઓ સાથે સંબદ્ધ છે. (૨) જૈન તીર્થકરો પૈકી પહેલા, બાવીસમા અને તેવીસમા તીર્થકરને લગતા શલોકા છે. તેમાં બાવીસમા તીર્થકરને અંગે પાંચ કૃતિઓ છે અને તેવીસમાને અંગે બે કૃતિઓ છે. (૩) જંબુસ્વામ–શકે, જુઠી તપાસી શકે, પાર્શ્વનાથ-શકે, લોકશાહ-શોકે, વિજયક્ષમારિ-શલે કે, વિમલમંત્રી--કે, શંખેશ્વર-શકે, અને શાલિભદ્ર-શકે એ નામની બે કૃતિઓ તેમ જ સિદ્ધાચલ-લોકો એમ દસ કૃતિઓ ઐતિહાસિક વ્યક્તિઓ સાથે સંબંધ ધરાવે છે. (૪) વિમલમંત્રીને શલોકે સૌથી મોટો હોય એમ લાગે છે. (૫) વિક્રમની અરાઢમી સદીની પૂર્વે કેઈ શકે રચાયેલ હોય તો તે હજી સુધી ઉબલબ્ધ થયો નથી. (૬) શલેકા રચનારામાં મુનિવર્ગને મુખ્ય ફાળે છે (૭) અહીં અપાયેલા બાવીસે શલેકામાંથી મોટો ભાગ અપ્રસિદ્ધ હેય એમ જણાય છે. જે તેમ હોય તો આ બધા શલકા સમીક્ષાત્મક પદ્ધતિએ પ્રકાશિત થવા જોઈએ. કોઈ વિવારસિક વ્યક્તિ કે સંસ્થા આ દિશામાં સત્વર પગલાં ભરે એ અભિલાષા પૂર્વક વિરમું છું. ગોપીપુરા, સુરત, તા. ૨૫-૪-૪ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40