Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭૬ ] શ્રી જૈન સત્ય પ્રકાશ સંવત ચઊદ નવાણુ વઇ (૧૪૯૯) એ, રિ કાતી માસે, મેહ કહઈ માઁ તવન કીયઉં, મનરંગ ઉલ્હાસે. ૪૪ ॥ ઇતિશ્રી ધરવિહાર શ્રી રાણપુર ચતુર્મુખ પ્રાસાદ સ્તવન' ! છ !! શ્રી ! છા [ વર્ષે ૯ [૬] સ્તવનના અનુવાદ કવિ મંગલાચરણમાં ભગવાન વીરને નઞરકાર કરી સરસ્વતી પાસે મુદ્દિવૈભવની યાચના કરે છે. રાણકપુર જોઇને તેમને અત્યંત ઉલ્લાસ અને સ ંતોષ થાય છે અને તેનું વર્ણન કરવા માંડે છે. જેણે રાણુકપુર જોયું ન હેાય તેમને જણાવે છે કે તે અણુદ્ધિલપુર (પાટણ) જેવું છે. તેનાં ગઢ, મદિર અને પાળેા અત્યંત સુંદર છે. વચ્ચે સરિતાનાં નીર વહે છે. ત્યાં કૂવા. વાવ, વાડી, હાટ અને જિનમદિશ ધણાં છે. અઢારવષ્ણુના લેાક, લક્ષ્માવાન વેપારીએ પુણ્યશાળી માનવીએ ત્યાં વસે છે. તેમાં યશસ્વી દાનીશ્વર ધરણુંદ નામનેા સ ંધવી મુખ્ય છે. તે જિનમદિરાને ઉદ્દારક છે. તેની પુણ્યાત્મા માતા કામલદે છે, જે રતસિદ્ધ અને ધણુંદ નામના એ નરરત્નને જન્મ આપી ધન્ય ! ધન્ય !! ગવાય છે. ચતુર્મુ`ખપ્રાસાદ જેને પાયે સાત માથેાડાં છે તે સ્થાને જ્યારે ધણુંદ આવ્યો ત્યારે શાસનદેવીએ તેના ધૃત્તથી પ્રસાદ કરી મેાટા મડાણે દેવળ બાંધવાની તેને આજ્ઞા કરી. ધરણ દે હર્ષોં-ઉલ્લાસપૂર્વક શ્રીસંધને ત્યાં જ પાનબીડાં આપ્યાં અને મુત કરી રહેઠાણે ગયા. તેણે તરત જ પચાસ સલેટાને તેડાવી સિદ્ધપુરના ચતુર્મુ* ખપ્રાસાદ ( રાજવિહાર ) ની તેમની આગળ ખૂબ પ્રશંસા કરી જણાવ્યું કે મારે પશુ અહીં તેના જેવું જ દેવલ માટા મંડાણે બધાવવું છે. ત્યારે મુખ્ય સૂત્રધાર દેપાએ શેઠને નિશ્ચિત બનાવતાં કહ્યું, અમે શાસ્ત્રીય રીતે મેટા મંડાણે તેવું જ દેવલ બાંધી આપીશું. આ વચન સાંભળી ધરણુશાહ ષિત થયા અને સલાટાને કબંધ પહેરાવી ખૂશ કર્યા અને સલાટ તેમજ મજૂરીની જરૂરિયાતાને તેમણે પૂરી કરી. તે જ સમયે સ′૦ ૧૪૯૫માં દુષ્કાળ પડયો. તેમાં લોકેાને રાહત આપવા ધરણુશાહના ભત્રીજાએ કહ્યું. કાકા! આપણા ઘેર લક્ષ્મીની લીલાલહેર છે માટે જગશાહની જેવું કાંઈક કરા. જો કે જગશાહ તે રાજા-મહારાજાઓને પણ આધાર બન્યા હતા જ્યારે આપણા પર તે માત્ર લેાકાના જ આધાર છે. આથી તેમણે સત્રશાળા ખુલ્લી મૂકી. ચતુર્મુખપ્રાસાદ પર પોંચાણું કમઠ-તાપસેાનાં પૂતળાં મુકવામાં આવ્યાં. ત્યાં હંમેશાં ભુગલ બેરી આદિ વાજિંત્રા તાલબદ્ વાગવા લાગ્યા. મંદિરમાં મૂળનાયક શ્રીઋષભદેવની સ્થાપના કરવામાં આવી. ભગવાનને કેસર, કપૂરથી પૂછને આનપૂર્વક તેમની સ્તવના કરતાં ધૂપ, નૈવેદ્ય ધરવાં જોઈએ જેથી ભગવાન સંતુષ્ટ થતાં આપણે ત્યાં ઋદ્ધિ વધવા માંડે. For Private And Personal Use Only ચારે દરવાજે ચાર બિખે છે. તેમને વણુ-પૂજન કરી પુષ્પાદિકથી અવાં જોઈએ, મૂળગભારામાં પણ કેટલાંક બિએ છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36