Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એતિહાસિક અવશે
[ ૩૮૧ છે અને યક્ષિણી અંબિકાના જમણા હાથમાં આંબાની લુંબ છે તથા ડાબે હાથ
ખેાળા ઉપર ઊભા રહેલા બાળક પર છે. બંનેની નીચે આસન કમલનું જ છે. ૭ લગભગ દસમા સૈકાની આ એક ત્રિતીર્થી છે. આની પાછળ અથવા કોઈપણ જગ્યાએ
લેખ નથી. પરંતુ પ્રતિમાજીનું શિલ્પ લગભગ દસમા સૈકાનું છે મધ્યમાં શ્રી પાર્શ્વનાથ પ્રભુના મસ્તકે સાત ફણાવાળી પ્રતિમાજી પદ્માસનસ્થ છે. અને મૂળનાયકની બને બાજુએ એકેક ઊભી કયેત્સર્ગસ્થ પ્રતિમાજી છે. પ્રભુની પલાંઠીની નીચે બે કમલનાં ફૂલોની આકૃતિઓ શિલ્પીએ રજુ કરેલી છે. બંને બાજુની કાયોત્સર્ગરથ જિનપ્રતિમાજીની બાજુમાં એકેક ચામર ધરનાર ઉભેલા છે, બેઠકની નીચે નવગ્રહે છે, જે આ શિલ્પ દસમા સૈકાનું અથવા અગિયારમા સૈકાનું હવાને પૂરાવો છે. આ પ્રતિમાની નીચે પણ લાંછન નથી અને જમણી બાજુ બે હાથવાળે યક્ષરાજ તથા ડાબી બાજુ બે હાથવાળાં અંબિકાદેવી છે. મસ્તક પરની સાત ફણુઓના ઉપર ત્રણ છત્ર છે અને છત્રની બંને બાજુએ એકેક ગાંધર્વ હાથમાં ફૂલની માળા લઈને આકાશમાંથી આવતા હોય તેવી રીતે શિપીએ રજુ કરેલા છે, જે સાબીતી આપે છે કે આ પ્રતિમાજી અરિહંત ભગગવાનનાં છે. આ પ્રતિમાજીની ઉંચાઈ ૧૯૧/૪ ઈંચ છે અને
પહોળાઈ ૭૧/૨ ઈંચ છે. ૮ આ પ્રતિમાજીની પાછળ આ પ્રમાણે લેખ છે – संवतु (त) ११२१ वैसाख बदि ११ सहजी सा(श्रा)विका कारिता
આ પ્રતિમાજી સહજી નામની શ્રાવિકાએ સંવત ૧૧૨૧ના વૈશાખ વદિ ૧૫ પ્રતિષ્ઠિત કરાવ્યાના માત્ર લેખવાળી છે, તે સિવાય પ્રતિષ્ઠા કરાવનાર આચાર્ય વગેરેનું
નામ સુદ્ધાં પણ નથી. ૯ સંવત ૧૧૨૯ના લેખવાળી અને પરિકર સહિતની આ મૂર્તિના જુદા જુદા વિભાગે
થઈ ગએલા છે અને પરિકર ઉપરનું જુદું જ છે અને તે પરિકરની પાછળ આ પ્રમાણેને લેખ છે –
९० ॥ संवत् ११२९ श्री ब्रह्माणिगच्छे सुमतिधर दुहिता सय्यसो देव मुख्य વારિત રિ (વી) જે ઉi (f) -
આ પ્રતિમાજી મહાવીર સ્વામીજીનાં હોવા છતાં પણ યક્ષ તરીક તો જમણી બાજુએ યક્ષરાજ બે હાથવાળા તથા ડાબીબાજુ બે હાથવાળાં અંબિકાદેવી યક્ષિણી તરીકે શિલ્પીએ રજુ કરેલાં છે, જે યક્ષ તથા યક્ષિણી તરીકે યક્ષરાજ તથા અંબિકાદેવીના વધારે પ્રચારની ખાત્રી આપે છે.
ધાતુની ઉપરત નંબર ૬ થી ૯ વાળી મતિઓ સિવાયની બીજી પ્રતિમા ઓની શિલ્પની દષ્ટિએ તથા મૂર્તિવિધાનશાસ્ત્રની દૃષ્ટિએ ખાસ વિશિષ્ટતા નહિ હેવાથી
તેના લેખો જ માત્ર અને આપવાનું ગ્ય લાગવાથી નીચે સંવતવાર રજુ કર્યા છે. ૧૦ { [0] ૨૨૨૩ ११ संवत् १३४१ वर्षे ज्येष्ट वदि ११ गुरौ प्राग्वाटशातीय श्रे० पाहणेन निज
पित थे० सींहलस्य श्रेयोथै श्रीसंभवनाथविवं कारितं ॥
For Private And Personal Use Only