Book Title: Jain_Satyaprakash 1944 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલોકમાં કાળદ્રવ્ય
લેખક શ્રીયુત પોપટલાલ મનજીભાઈ મહેતા, જુનાગઢ
જૈન તત્ત્વજ્ઞાન પ્રમાણે આ જગતનો વિચાર કરતાં આકાશ અને તેમાં રહેલા સ્વતંત્ર શાશ્વત દ્રવ્યોનો પહેલો ખ્યાલ આવે છે. જેને તત્ત્વજ્ઞાન મુજબ આકાશને, લેક-આકાશ અને અલક-આકાશ એમ બે વિભાગ પાડી, એ રીતે તેનો વિચાર કરાએલે છે.
લોક આકાશ તેને કહે છે કે જેમાં જીવ પુદ્ગલ વગેરે દ્રવ્યો રહેલાં છે અને તે સિવાયનું આકાશ તે અલક ગણાય છે. આ એક આકાશમાં છવ, પુદંગલ, ધર્મ, અધમ કે કાળ નથી, માત્ર આકાશ છે. તે સિવાય કંઈ નથી.
પરંતુ અહીં સવાલ એ થાય છે કે અલકમાં કાળ નથી એટલે શું ? લેક આકાશમાં “હમણાં-પછી–આજ-કાલ-હવે–પછી” વગેરે પદે કાલ સૂચવે છે. અને એ કાળ શું ખરેખર અલકમાં નથી? રાત-દિવસ, પ્રભાત, સાંજ, મધરાત્રિ, બપોર ઈત્યાદિ કાલના વિશેષ પર્યાય બીજા દ્રવ્યના અભાવે સંભવતા નથી. પરંતુ ઉપર જણાવી ગયા તેવા ભાવને કાળ વિષેને સૂક્ષ્મ વિચાર એ અલોક આકાશ વિષે આપણે કહી શકીએ ખરા ? આપણે વિચાર કરીએ તો જણાશે કે રાત્રિદિવસ વગેરે વિભાગવાળ કાળ અલેકમાં હાઈ શકે નહિ એ નિશ્ચિત છે. પરંતુ હમણાં-પછી-આજ-કાલ ઇત્યાદિ સૂક્ષ્મ ભાવવાળો કાળ અલેક આકાશમાં સંભવે છે ખરે? એ મુંઝવનારા પ્રશ્ન થઈ પડશે.
ઉપરના પ્રશ્નના નિરાકરણ માટે આપણે જરા “ કાળ”નું સ્વરૂપ નિહાળવું પડશે. “ કાળ"ને જૈન તત્વજ્ઞાનમાં છ દ્રવ્યો પૈકી એક દ્રવ્ય તરીકે ગણનામાં લીધું છે ખરું, પરંતુ તેના સ્વરૂપને વિચાર કરતાં તેને પ્રદેશાત્મક દ્રવ્ય તરીકે સ્વીકાર્યું નથી. કાલનું લક્ષણ પરાવર્તન વર્ણવેલ છે, અર્થાત જે પ્રદેશાત્મક દ્રવ્યો છે તેના ફેરફાર બતાવનાર એક વિચારપ્રધાન દ્રવ્ય તરીકે તેને ગમ્યું છે. એટલે કે પ્રદેશાત્મક દ્રવ્યોની ભિન્ન થતી સ્થિતિ સમજવામાં વિચાર રૂપે કાલનો સ્વીકાર અવશ્ય કરવો પડશે. એક ને એક દ્રવ્યની ભિન્ન ભિન્ન સ્થિતિ સ્વીકારીએ અગર એક ક્રિયા કે બનાવ અને બીજી ક્રિયા કે બનાવનું પૃથપણું કરીએ ત્યારે તે બન્ને સ્થિતિનું અંતર કાળદ્રવ્યથી બતાવી શકાશે. જેમ જુદા જુદા સ્થાનમાં વર્તતા પદાર્થોનું અંતર આકાશ દ્રવ્યથી બતાવી શકાય છે, એટલે જેમ સ્થાનનું અંતર બતાવવા આકાશ દ્રવ્યનો સ્વીકાર કરીએ છીએ તેમ એક ને એક પદાર્થની ભિન્ન ભિન્ન અવસ્થા વ. બતાવવા કોલ દ્રવ્યને સ્વીકાર કરીએ છીએ. કાળને આ રીતે જે સ્વીકાર થાય છે તે વિચારાત્મક ભાવ કે પદાર્થ તરીકે, પણ પ્રદેશાત્મક પદાર્થ તરીકે નહીં. આકાશ દ્રવ્યનો સ્વીકાર પ્રદેશાત્મક પદાર્થ તરીકે અને વિચારાત્મક પદાર્થ ઉભય તરીકે કરીએ છીએ. આમ કાલનું લક્ષણ જોતાં કાલને માત્ર વિચારાત્મક ભાવ તરીકે દ્રવ્ય ગણેલા છે. કેમકે બે ક્રિયાનું પૃથકપણું કે બે અવસ્થાનું અંતર બતાવવામાં કાલ દ્રવ્યને આશ્રય લઈ
For Private And Personal Use Only