Book Title: Jain_Satyaprakash 1943 07 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 4
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુવર્ણાક્ષરી કલ્પસૂત્રની પ્રતિને અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ સંગ્રાહક તથા સંપાદક—પૂજ્ય મુનિ મહારાજ શ્રી પુછપવિજય ( [ ૫. પ્રયતક પી શાંતિથિન્ય આ લેખમાં ભાવનગર-શ્રીસંધના જૈન જ્ઞાનભંડારમાંની સુવર્ણાક્ષરી કલ્પસત્રની પ્રતિને અને તેના અંતમાં લખાએલી એક વિસ્તૃત પ્રાસ્તિને પરિચય આપવામાં આવે છે. એ પ્રતિ અત્યારે ભાવનગર–શ્રીસંઘના ભંડારમાં,-સુરક્ષિત તે ન કહેવાય પણ,રક્ષિત છે. ભાવનગરમાં શ્રીસંધનાં દરેક કાર્યો “શેઠ ડેસાભાઈ અભેચંદની પેઢીને નામથી ચાલે છે. એટલે પ્રસ્તુત જ્ઞાનભંડાર એ પેઢીના આશ્રય નીચે હાઈ એની કાળજીભરી દેખરેખ પેઢીના પ્રાણસમા વયોવૃદ્ધ કાર્યકર્તા ધર્માત્મા વિદ્વાન શેઠ કુંવરજી આણંદજી રાખે છે. પ્રસ્તુત પ્રતિને નંબર ડા. ૨૩ નં. ૧૫ છે. એની પસંખ્યા ૯૫ છે. લંબાઈ– પહોળાઈ ૧૧૮૪ ઈંચની છે. દરેક પાનામાં લીટીઓ કેટલી છે એ ગફલતથી સેંધવું રહી ગયું છે એટલે અત્યારે મને યાદ છે તે પ્રમાણે તેમાં સાત લીટીઓ હેવી જોઈએ. અને દરેક લીટીમાં અક્ષરે ૨૮થી ૩૪ સુધી છે. આખી પ્રતિ બે વિભાગમાં લખાએલી છે. એટલે બે વિભાગ પાડવા માટે વચમાં પણ વેલ છે અને દરેક પાનાની ચોમેર પણ વેલ છે. એ વેલ કેઈ કળાના ખાસ નમૂના રૂપ નથી પરંતુ તદ્દન સાદી જ છે. પ્રતિની લિપિ સુંદર છે અને પ્રતિ દેખાવમાં તેમજ અવસ્થામાં પણ બહુ જ સારી છે. પ્રતિમાં સુવર્ણમય અક્ષર લખવા માટે પાનાની જમીન (Back-ground) લાલ આસમાની અને જામલી એમ ત્રણ રંગથી રંગીન કરવામાં આવી છે જ્યારે ચિત્રો નીચેની જમીન લાલ જ રાખવામાં આવી છે. ચિત્રોમાં રંગેનું વૈવિધ્ય ખાસ નથી, એમાં મુખ્યત્વે કરીને સેનેરી રંગને જ ઉપયોગ કરવામાં આવ્યો છે. આમ છતાં ચિત્રો સુંદરતાથી જરાય વેગળાં કે વંચિત નથી. પ્રસ્તુત ચિત્રા કલ્પસત્રની હસ્તલિખિત પ્રતિઓમાં સામાન્ય રીતે જે જાતનાં ચિત્રા જોવામાં આવે છે તે જ જાતનાં છે. ' પ્રસ્તુત પ્રતિને અગે આટલું જણાવ્યા પછી હવે આપણે એ પ્રતિના અંતમાની વિસ્તૃત પ્રશસ્તિ જોઈએ. भुजो भुजो उवदंसेह त्ति बेमि ॥ छ। पज्जोसवणाकप्पो सम्मत्तो ॥छ॥ ग्रंथानं १२१६ सर्वसंख्या ॥ छ । संवत् १५१७ वर्षे आवाढ सुदि अष्टमी सोमे श्रीअणहिल्लपुरपत्तने । श्री श्री खरतरगच्छे ॥ श्रीजिनचंद्रसरिराज्ये श्रीउपाध्या[य] सिद्धान्तरुचिउद्यमेन लिखितं वाछाकेन ॥ ए८०॥ आसीदूकेशवंश्येषु थुल्लशाखासमुद्भवः । मंत्री दुर्लक्षसिंहाख्यः पनस्तस्यांगजः पुनः ॥ १ जिणाको जिनभक्तात्मा नोडाकः कृत्यसाधनः । धनी धनपतिश्चैते पनाकस्य सुतास्त्रयः ॥ २ For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36