Book Title: Jain_Satyaprakash 1943 07
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad

View full book text
Previous | Next

Page 18
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir [૩૬] શ્રી જન સત્ય પ્રકાર ( વર્ષ ૮ વિલક્ષણ સિદ્ધ કરી તેમાં જે તયક્તિત્વ સ્વતંત્ર સિદ્ધ કરે તો પણ દેશભેદ સંભવતો નથી. દેશભેદ બે પ્રકાર છે. એક તે જે વસ્તુથી જે વસ્તુમાં દેશભેદ રાખો છે તે બન્ને વસ્તુઓ પૃથભાવે રહેતી હોય. અર્થાત બન્ને વચ્ચે કઈ પણ જાતને સમ્બન્ધ ન હેય. જેમ, હિમાચલ અને વિધ્યાચલ અને ભિન્ન દેશમાં રહે છે તે પૃથભાવે રહે છે. ને બીજો અપૃથભાવે એટલે સમ્બન્ધ છતાં ભિન્ન દેશમાં રહેવારૂપ દેશભેદ છે. જેમ, ભૂતલ અને બટ બને સંયોગ સમ્બન્ધથી સમ્બધિત છે, છતાં બન્નેમાં દેશભેદ છે. તો તમને અભિષિત નજીવ, જીવ સાથે સમ્બન્ધિત છતાં ભિન્ન દેશમાં રહે છે કે જીવ સાથે અસમ્બધિત થઈને ભિન્ન દેશમાં રહે છે ?” - “જીવથી છૂટા પડીને નેવે દૂર રહેલ છે તે પ્રત્યક્ષ જણાય છે. બન્ને વચ્ચે કંઈ પણું સમ્બન્ધ જણાતું નથી માટે પૃથભાવ-અસમ્બન્ધિત-દેશભેદ છવમાં છે.” નો જીવ, જીવથી પડેલ છે તે કયા હેતુથી ૬ વિશ્રા-સ્વભાવથી કે કોઈના પ્રયોગથી તેમાં વિશ્રાથી છૂટા પડવાપણું ઘટી શકે જ નહીં. વિશ્રસાથી છૂટા પડતા પુતલે એક વસ્તુથી સ્વયં ક્ટા પડીને બીજી વસ્તુ સાથે ચોટે છે, મિશ્રિત થાય છે. જેની સાથે મિશ્રિત થાય છે તેની સાથે તપ થઈ જાય છે. પોતાના ધર્મોની આપલે કરે છે. તે પ્રમાણે જીવ પણ જીવથી સ્વયં ો પડીને જયાં જેની સાથે રહેશે ત્યાં સુખદુઃખાદિને ઉત્પન્ન કરશે. એ સુખદુઃખાદિની ઉત્પત્તિ દૂષિત હોવાથી અભીષ્ટ માની શકાશે નહીં. માટે વિશ્રસાથી પૃથભાવ માની શકાય નહિ.” ને જ્યાં રહેલ છે ત્યાં સુખદુઃખાદિ ભોગવે જ છે. તેમાં દેવ શું છે ?” “જે એ પ્રમાણે સુખદુઃખાદિને અન્ય સ્થાને અન્યમાં પણ ભોગ માનવામાં આવશે તે બે મહાન દોષ લાગશે. ૧. કૃતનાશ, અર્થાત-કરેલ કમને વિનાશ. અને ૨. અકૃતાક્યુપગમ, અર્થાત-નહીં કરેલ કર્મને સ્વીકાર. તે આ પ્રમાણે-ગિરેલીમાં રહેલા છે પુછમાં સુખદુઃખાદિ અનુભવ કરવા યોગ્ય કર્મ કરેલ છે. જ્યારે પુછ કપાઈને જુદું પડયું ને તેને ગિરેલીમાં રહેલા જીવ સાથે બિલકુલ સમ્બન્ધ સ્વીકાર્યો નથી, એટલે ગિરેલીના છ કરેલ કર્મનું કંઈપણ ફળ આવ્યું નહીં. એ કર્મ વિફળ ગયું એ કૃતકર્મવિનાશરૂપ દેષ થયો. બીજો અકૃતાભુપગમ તો ગિરેલીથી છૂટા પડેલ પુચ્છમાં રહેલ જીવે છે) કંઇપણ કર્મ કરેલ નથી. છતાં પુછમાં સુખદુઃખાદિ અનુભવે છે તે શાથી? વિના કમ સુખદુઃખાદિ અનુભવી શકાય જ નહીં. એટલે ત્યાં નહીં કરેલું કર્મ માનવું પડશે એ બીજે દોષ થયો. નહીં માનનારને એ દોષ સંભવતા નથી. કારણ, તેઓ તો કપાયેલ પુચ્છમાં પણ ગિરેલીમાં રહેલા જીવને જ માને છે. તે કર્મ કરેલ છે, તેને જ પુછમાં અનુભવ થાય છે. માટે ગિરેલીના જીવનું કર્મ નકામું પડતું નથી ને પુછમાં થતાં સુખદુઃખાદિના અનુભવ માટે નવું કર્મ માનવું પડતું નથી. માટે વિશ્રસાથી, નોછવનો પૃથભાવ માની શકાય નહીં.” શ્રી ગુણસરિજી મહારાજ અને શ્રી રોહગુપ્ત વચ્ચે આ રીતે રાજસભામાં વાદ શરૂ થયો. ગંભીર ધ્વનિથી પૂર્વપક્ષ ઉત્તરપક્ષ થયા, ઘણું સભાસદે વાર સાંભળવા એકઠા થયા. રાજાએ સભાનાં અન્ય કાયો મૂલતવી રાખ્યાં. સભાનો સમય પૂર્ણ થતાં સો સ્વસ્થાને ગયા. આ રીતે કેટલાય દિવસ સુધી ગુરુ-શિષ્ય વચ્ચે વાદ ચાલુ રહ્યો. For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36