Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮]
જેસલમેર
.
[૩૩]
આ દેરાસરની છતમાં દિવસે પણ એટલા બધાં ચામાચીડીઓ લટકે છે કે જે વહીવટદારે તેને તાત્કાલિક પ્રબંધ નહીં કરે તે ચામાચીડીઆની હવારથી થતી દેરાસરની આશાતના નિરંતર ચાલુ રહેવાને સંભવ છે. શીતલનાથજીના દેરાસરમાં જવાને મુખ્ય રસ્તે તો જૈસલમેરના મૂળનાયકના જિનમંદિરમાં દાખલ થતાં જે મોટું વિશાળ તોરણ આવે છે, તેની જમણી બાજુએ છે. પરંતુ (૨) શ્રી સંભવનાથજીના દેરાસરની માફક, જૈસલમેર શહેરમાં જૈનોની વસ્તી દિનપર દિન ઘટતી જતી હોવાથી કોઈ, એકલદોકલ પ્રવાસી યાત્રાળુ સિવાય અને તિથિના દિવસો સિવાય મંદિરના પૂજારીઓ તથા એકાદ-બે ધર્મશ્રદ્ધાળુ જૈનો જ આ કિલ્લા પરનાં જિનમંદિરના દર્શને આવે છે, તેથી મોટે ભાગે આ મુખ્ય દરવાજો બંધ જ રાખવામાં આવે છે.
શીતલનાથજીના મુખ્ય દરવાજાની ડાબી બાજુની ભીંતપરની ચુનાની જાળીઓ પૈકી એક જાળીમાં કાલિયામર્દનનું સુંદર દસ્થ શિલ્પીએ રજુ કરેલું છે, જે ખાસ જોવા લાયક છે.
આ પ્રમાણે કિલ્લા પરનાં ત્રણ જિનમંદિરમાં જવાને મુખ્ય ચાલુ રસ્તો શ્રી પાર્શ્વનાથજીના જિનમંદિરનો પ્રવેશ માર્ગ છે. આ ત્રણે જિનમંદિરનાં દર્શન કર્યા પછી બહાર નીકળીએ એટલે ડાબા હાથ તરફ (૪) શ્રી શાંતિનાથજીનું તથા (૫) શ્રી અષ્ટાપદજીનું દેરાસર આવે છે. આ બંને દેરાસરે એક જ દેરાસરમાં ઉપર નીચે આવેલાં હોવા છતાં, પરંપરાથી અલગ ગણાય છે, તેથી મેં પણ તેને અલગ ઉલ્લેખ કરે છે. આ બંને દેરાસરે પૈકી (૪) શ્રી શાંતિનાથજીનું દેરાસર મેડા ઉપર આવેલું છે અને (૫) શ્રી અષ્ટાપદજીનું દેરાસર નીચે ભોંયતળીએ આવેલું છે. શ્રી શાંતિનાથજીનું દેરાસર
શ્રી શાંતિનાથજીના ઉપરના દેરાસરમાં તથા નીચેના શ્રી અષ્ટાપદજીના દેરાસરમાં જવા માટે રસ્તે એક જ છે. શ્રી શાંતિનાથના મુખ્ય મંદિરની ડાબી બાજુએ બે સુંદર આરસની શિલ્પ-નર્તકીઓની બાજુમાં આ દેરાસર બંધાવનારની તથા તેણે કરેલાં સુકૃત્યોની નોંધવાળી પીળા પાષાણપર ખાદેલી એક પ્રશસ્તિ છે, જેના પત્થરની લંબાઈ ૨ ફૂટ ૪ ઇંચ છે તથા પહોળાઈ ૧ ફૂટ ૪ ઈંચ છે (જુઓ જન લે. સં. ભાગ ૩ લેખાંક ૨૧૫૪).
- શ્રી શાંતિનાથજીના મુખ્ય દેરાસરની સામે રંગમંડપમાં ડાબા હાથ ઉપર પીળા પાષાણુના હાથી પર આ દેરાસર બંધાવનાર શેઠ-શેઠાણીની મૂનિઓ પોતાના બંને હાથ જોડીને પ્રભુની સ્તુતિ કરતી હોય તેવી રીતે શિપીએ રજુ કરેલી છે. આ બે મૂર્તિઓ પૈકી શેઠની મૂર્તિ ધાતુની છે અને શેઠાણીની મૂર્તિ સફેદ આરસની છે. વળી શેઠની મૂર્તિને પાછળના ભાગમાં બે લીંટીને ટૂંક લેખ છે, જે આ પ્રમાણે છે –
(१) संवत् १५६० वर्षे पोष वदि ३ दिने ॥
(૨) છ મહિનાથ પ્રતિમા સેવ લેખમાં નામ નહિ હોવાથી આ મૂર્તિ કોની છે, તેની ખરેખરી ઓળખાણ થઈ શકવી મુશ્કેલ છે; પરંતુ ત્યાં પૂજારી વગેરેના કહેવાના આધારે જ મેં ઉપરની કલ્પના કરી છે.
For Private And Personal Use Only