Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૮]
શ્રી માતર તી
[ ૨૩૯ ] શેઠ જમનાભાઈ ભગુભાઈ તરફથી થયેલા જર્ણોદ્ધારની પ્રતિષ્ઠા વખતે તે જ સુપાર્શ્વનાથની ભવ્ય મૂર્તિ અસલ મૂળનાયક જે સ્થાને હતા તે જ સ્થાને ગેાખમાંથી ઉત્થાપન કરી શેઠ માણેકલાલ મનસુખભાઇએ ભમતીની મોટી દેરીમાં પધરાવી હતી, અને ખાલી રહેલ ગેાખલામાં અન્ય પ્રતિમાજી સ્થાપન કર્યાં. તે વિ. સ. ૧૯૮૪ ના મહાવદી પાંચમના શુભ દિવસ હતા. ઉપસહાર—
આ સાચા દેવનાં દર્શનાર્થે મહેમદાવાદથી, ખેડાથી, નડીઆદથી, આણંદથી, અમદાવાદથી એમ અનેક રસ્તે મેટર-ગાડી ઇત્યાદિ વાહન દ્વારા આવી શકાય છે. આવવાના રસ્તાઓ સડકાથી બંધાયેલા છે, નત્રાળુઓને ઉતરવા માટે જેનેાની ચાર ધ`શાળાએ છે. જ્યાં સાચાદેવ શ્રી સુમતિનાથની પેઢી છે તે ધર્મશાળામાં તે સીધુ આરસના પાષામાં કાતરેલું ખેર્ડ મારેલું છે કે આ ધર્માંશાળામાં ઉતરનાર કોઇ પણ વ્યક્તિ કંદમૂળ ખાઈ ન શકે તેમજ રાત્રિભાજન કરી શકે નહીં. આ વસ્તુ દરેક ગામની ધ શાળાએવાળાને અનુકરણ કરવા લાયક છે. આ સિવાય જૈનેતરાની બીજી પણ ધર્માં શાળાએ છે. તદુપરાંત ઉપાશ્રય છે. શ્રાવકનાં લગભગ ૨૦ ઘર છે. ગામમાં કુલ ૧૪૦૦ ઘર છે. એકંદર ગામની કુલ વસ્તી ૪૦૦૦ ની છે. દહેરાસરના બહારના પગથીયા પરથી તેમજ સામેની ધ શાળાના એટલા પરથી સાચાદેવ સુમતિનાથ પ્રભુજીનાં દન થઈ શકે છે. પ્રતિવર્ષ જેડ શુદ ૩ ને દિવસે એટલે સાચા સુમતિનાથ પ્રભુની વર્ષગાંઠને દિવસે ભાતું અપાય છે. જાત્રાળુઓની અવર-જવર પણ રહ્યા કરે છે. કાઇ કાઇ વખતે સંધ પણ આવે છે. કેટલાક માણસા દરેક પૂનમ પર દર્શનાર્થે આવે છે. વિહાર કરતાં સાધુ-સાધ્વીએ પણ સારા પ્રમાણમાં આવે છે. ગામના શ્રાવા વગેરે ભાવિક છે. ગામની બહાર લગભગ અડધા માઈલ પર સડકની પાસે નાનકડી દેરીમાં આદિનાથ પ્રભુજીનાં પગલાં છે. ત્યાં કાર્તિક શુદ પૂનમે અને ચૈત્ર શુદ પૂનમે પઢ બુધાય છે. તે દિવસે ગામમાંથી વાજતાં ગાજતાં સૌદર્શોન કરવા જાય છે. આ રીતે માતર જાત્રાનું ધામ છે, અને ખેડા જીલ્લામાં આવેલુ છે. માતર તાલુકા તરીકે, સાચા દેવના ગામ તરીકે અને માતરતી તરીકે એ જગતમાં સુપ્રસિદ્ધ છે.
શ્રી માતર તીર્થના આ ઇતિહાસમાં જે જે ઘટનાઓના નિર્દેશ કર્યા છે તે મારા જાણવામાં આવેલી હકીકતના આધારે કર્યા છે. વિશેસ સત્ય તે જ્ઞાનભગવંતની દૃષ્ટિ જ નિરખી શકે. સાચા દેવ શ્રી સુમતિનાથ પ્રભુનાં આ પવિત્ર તીર્થાંનાં દર્શીન કરી સૌ પેાતાનુ ધ્વન સફળ કરે. એ જ ભાવના !
સુધારા-વધારા
(૧) લેખમાં પહેલાંમાં સાતમા પાને જ્યાં વિ. સં. ૧૮૯૩ના મહાશુદિ ૧૦ ને બુધવારે પ્રતિષ્ઠા થયાનું લખ્યું છે ત્યાં અંજનશલાકા થયાનું પણ સમજવું. (ર) એ જ પાનામાં જ્યાં પ્રેમચંદ દેવચંદનુ નામ છે તેના બદલે હકમચંદ દેવચંદ નામ વાંચવું, અને જ્યાં હેમાભાઈ પ્રેમાભાઇનું નામ છે તેના બદલે હેમાભાઇ વખતચંદનું નામ વાંચવું.
For Private And Personal Use Only