Book Title: Jain_Satyaprakash 1943 05
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૨૪૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૮
જીવ તેમાં આવે છે ?” શ્રી ગુપ્ત પરિવ્રાજકને પ્રશ્ન કર્યો.
“મુનિજી! જે ગિળીનું તે પુચ્છ છે તેનો જ તેમાં છવ છે.” પરિવ્રાજકે કહ્યું.
“એ ન ઘટી શકે, કારણ કે જે તેને જ જીવ હેય તે ગિરોળી જેમ ઠપ ઠ૫ કરવાથી ભાગી જાય છે, સુખદુઃખના અનુભવથી આનંદિત અને શક ગ્રસ્ત બની જાય છે,
અવાજ કરે છે, તેમ પુછમાં પણ થવું જોઈએ. તે કંઈ પણ પુચ્છમાં થતું નથી, માટે ગિળીનો જીવ તેમાં સંભવે નહિ.” શ્રી રેહગુપતે ખંડન કર્યું.
ત્યારે ગિરાળી સિવાય બીજો કોઈ જીવ તેમાં તરત આવે છે” પરિવ્રાજકે ફેરવ્યું.
પરિવ્રાજકજી! ઘડીકમાં આમ ને ઘડીકમાં તેમ એમ કરે તે ઠીક નહીં. તેમાં બીજે છવ આવે છે એમ કહે છે તે પણ મિથ્યા છે. જે બીજે જીવ આવે છે તે ત્રસએટલે હલનચલન કરવાની શક્તિવાળો આવે છે, કે સ્થાવર એટલે મરજી મુજબ ગતિ ન કરી શકે અને સ્થિર પડી રહે તેવો આવે છે. જે ત્રસ આવે તો તે દિ-ઈન્દ્રિય, ત્રિઈન્દ્રિય, ચતુરિન્દ્રિય કે પંચેન્દ્રિય, એમ ચારમાંથી કોણ આવે છે ? એકની પણ સંભાવના થઈ શક્તી નથી. સ્થાવરમાં ગતિ ન હોય અને હોય તો તે એકધારી અગ્નિ અને વાયુમાં જ હેય. આ પુચ્છમાં ચેષ્ટા-ગંત પ્રત્યક્ષ દેખાય છે, ને અગ્નિને ઉષ્ણ સ્પર્શ કે વાયુનું ન દેખાવાપણું નથી માટે સ્થાવરના જીવનું આવવું ઘટતું નથી. બે-ઈન્દ્રિય વગેરે અનુક્રમે બેલી, સુંઘી, દેખી, સાંભળી શકે છે. આમાં તે કંઈ પણ નથી માટે તે પણ નથી ઘટતું. એ રીતે બહારનો કે ગિળીનો કોઈ પણ જીવ તેમાં ન હોવાથી તે જીવ નથી એ નિશ્ચિત છે. અજીવ પણ નથી. તમે પોતે કહો છો કે ચેષ્ટા બંધ પડ્યા પછી અછવ છે. માટે ચેષ્ટાવાળું પુણ્ય નેવ છે એ જ સિદ્ધ થાય છે” શ્રી રેહગુપ્ત પરિવ્રાજકને બેલત ચૂપ કરી દીધો.
[૩] “ગુરુજી ! ગુરુજી ! આ શું ? આપના પગ પાસે આટલા વીંછીઓ ક્યાંથી ? ઊઠે ઊઠે. આ તે મહાઝેરી ઠાકરીયા વીછી છે.” શ્રી રહગુપ્તને તેમના એક શિષ્ય સૂચના કરી.
જે ! જ ! આ મહારાજના પગ પાસે મોર કયાંથી આવ્યો ને મહારાજને કરડવા પ્રયત્ન કરતા વીંછીઓને મારી નાખે છે. આ બધું અહીં કયાંથી ?” સભામાંથી એક સભ્ય બીજા સભ્યને બતાવીને કહ્યું.
આ બે સભ્યો વાત કરે છે ત્યાં તે બન્નેને ઉદ્દેશીને ત્રીજે સભ્ય બેલ્યોઃ - “આ અહીં જુઓ. મહારાજની પાછળ મોટા મોટા નાગરાજ ને નેળીયાઓ ઝપાઝપી બોલાવે છે. આ નાગો ઊંચી ઊંચી ફેણ કરી હૂંફાડા મારતા મહારાજને દંશખ દેવા જાય છે. નોળીઆઓ તેને લેહીલુહાણ બનાવી પાછા પાડે છે. આશ્ચર્ય છે ! આ નિછિદ્ર રાજસભામાં નાગ-નોળીઆઓ ક્યાંથી નીકળ્યાં ?”
એટલામાં તો તે બધા સભ્યો પાસે થઈને ચીં ચીં કરતું મોટા મેટા જંગલી ઉંદરોનું મહાસૈન્ય રહગુપ્ત તરફ ધસવા લાગ્યું. ત્યાં તો અધવચ્ચેથી જ એક પછી એક મોટા બિલાડાઓ ઉપરથી પડયા. પાંચ સાત ઉંદરને ઝેરર કરી નાખ્યા એટલે બેઠેલા સભ્યો ઉપર કુદકા મારતા બીજા ઉંદરે નાસભાગ કરી ભાગી ગયા. સભ્યો ગભરાઈ ગયા કેટલાક ભીર સભ્યોએ સીધે ઘરનો રસ્તો પકડયો. બીલાડાંઓ પણ અદશ્ય થઈ ગયાં.
For Private And Personal Use Only