Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪૬ ]
શ્રી જેને સત્ય પ્રકારો
[વર્ષ ૮
મહાનિશીથ યુકંધને સમસ્ત પ્રવચનના સારભૂત, પરમતત્વભૂત અને અતિશયવાળા અત્યંત મહાત્ અર્થોના સમુદાયવાળું જાણુને પ્રવચનવત્સલતાથી તથા ભવ્ય સના ઉપકારની બુદ્ધિથી આત્મહિત અર્થે જેવું તે પ્રતમાં જોયું તેવું સર્વ સ્વમતિથી શોધીને લખ્યું છે. અને તેનું બીજા પણ શ્રીસિદ્ધસેન, વૃદ્ધવાદી, ચક્ષસેન, દેવગુપ્ત, યશવર્ધન ક્ષમાશ્રમણ શિષ્ય રવિગુપ્ત, નેમિચંદ્ર, જિનદાસગણિ ક્ષમાશ્રમણ, સત્યશ્રી વગેરે યુગપ્રધાન શ્રતધએ બહુમાન કરેલું છે. શ્રી મહાનિશીથ સિવાયના બીજા વર્તમાન આગમમાં આ રીતે નવ પદ અને આઠ સંપદાદિ પ્રમાણવાલે નમસ્કાર બીજી કોઈ જગ્યાએ કહેલે દેખાતો નથી. શ્રી ભગવતી સૂત્રની આદિમાં માત્ર પાંચ જ પદો કહ્યાં છે. પ્રત્યાખ્યાન નિર્યુક્તિમાં “નમો અરિહૃતા' એમ કહી નવકારસીનું પચ્ચખાણ પારવાનું કહ્યું છે. તે નિયુક્તિની ચૂર્ણિમાં કહ્યું છે કે તે નવકારના અનુક્રમે પદો દશ અથવા છ છે. છ પદે નમો વરદંતસિદ્ધાર વ સાહૂ એ પ્રમાણે અને દશ પદે “નમો શરદંતાળ, નમો સિદ્ધા એ રીતે “નમો ” સહિત પાંચ પદે સમજવાં. નમસ્કાર નિર્યુક્તિમાં એંશી (૮૦) પદ પ્રમાણુ બીજી વશ ગાથાઓ છે જેમકે
રહૃતનમુક્કારો નાર્વે મે મવસામા ઈત્યાદિ તે તો નવકારના માહાભ્યને પ્રતિપાદન કરનારી ગાથાઓ છે. પણ નવકાર રૂપ થવાને યોગ્ય નથી, કારણ કે તે ઘણા પદ સ્વરૂપ છે અને નવકાર તે કેવળ નવ પદ સ્વરૂપ જ છે.
એ રાતે પરમાગમ સૂત્રોતર્ગત શ્રી. વજસ્વામી વગેરે દશ પૂર્વધરાદિ બહુશ્રુત સંવિસ સુવિહિત સૂરિપુરંદરોએ કરેલી વ્યાખ્યાઓ દ્વારા આદર કરાયેલે, અને અંતિમ પદમાં “વ” એ પ્રમાણેના પાયુક્ત અડસઠ વર્ણ પ્રમાણ પરિપૂર્ણ નવકારસવનું અધ્યયન કરવું જોઈએ, તે આ મુજબ.
नमो अरिहंताणं ॥१॥ નમો સિતાજી | ૨ |
नमो उपज्झायाणं ॥४॥ नमो लोए सव्वसाहुणं ॥५॥ પણ પંચ નમુari | | सव्यपावपणासणो ॥७॥ मंगलाणं च सव्वेसि ॥८॥
vi 5 મંગહ્યું છે ? એનું વ્યાખ્યાન શ્રી સ્વામી આદિ મૃતધરાએ જે રીતે છેદચન્યાદિ આગમાં, લખ્યું છે તે રીતે ભકિત બહુમાનના અતિશયથી અને ભવ્ય પ્રાણીઓને વિશેષ કરીને ઉપકારક છે એમ જાણીને અહીં બતાવીએ છીએ.
પ્રશ્ન–હે ભગવન ! આ અચિત્ય ચિન્તામણિકલ્પ શ્રી પંચમંગલ મહાગ્રતસ્કંધ સૂત્રનો શું અર્થ કહેલ છે ?
ઉત્તર ગૌતમ આ અચિત્ય ચિન્તામણિકલ્પ શ્રી પંચમંગલ મહાગ્રુતસ્કંધ સૂત્રનો અર્થ આ પ્રમાણે કહેલો છે. આ પંચમંગલ મહાગ્રુતસ્કંધ જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ અને સર્વ લોકમાં પંચાસ્તિકાય રહેલ છે તેમ સકલ આગમાં અંતર્ગત રહેલ છે અને તે યથાર્થ ક્રિયાનુવાદ સદ્દભૂતગુણકીર્તન સ્વરૂપ તથા યથેચ્છફલપ્રસાધક
For Private And Personal Use Only