Book Title: Jain_Satyaprakash 1943 02
Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad
Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અર્ક ૫]
શ્રી માતર તી
૧૫૫] સખાધે છે, જૈનેતરા પણ તેમના પ્રત્યે ઘણું જ સન્માન ધરાવે છે. ત્યાંનુ જિનમંદિર ગગનચુ ત્રણ શિખરાવાળું છે. મૂળ મંદિરને ફરતી પ્રભુમૃત્તિ એથી સુોભિત નાની મેોટી ૫૧ કેરી શોભી રહી છે. આ રીતે આ બાવન જિનાલયવાળુ લભ્ય મદિર છે. મ'દિરની આગળના ભવ્ય દેખાવ, બાંધણી અને ઉંચાઈ દેખનારના મન ઉપર ભવ્યતાની છાપ પાડે છે.
હવે આ બાવજિનાલય મદિર કયારે બંધાણું, સુમતિનાથ પ્રભુની કૃત્તિ ક્યાંથી આવી, ચમત્કારે શુ શુ થયા, સાચા દેવ શાથી કહેવાયા, પુન: જર્ણોદ્ધાર કાણે કરાવ્યા, અને આ તીર્થને મહિમા શાથી વધ્યા વગેરે હકીકત આપણે તપાસીએ. પ્રભુભૂત્તિઓનુ` પ્રગટ થવુ’—
ખેડા જિલ્લાના મહેમદાવાદ તાલુકામાંના મહુધા ગામની પાસે સુહુ જ નામે પુરાતન ગામ છે. આ ગામના વતની એક ભારાટના ઘરની નજીકમાં બારોટને વિશાળ વાડા હતા. આ વાડામાંથી જ શ્રી સુમતિનાથ પ્રભુ વગેરેની વૃત્તિએ પ્રગટ થયેલી છે. આ કૃત્તિએ તે જગ્યાએ જમીનમાં ક્યારના અને કેટલા સમયથી સ્થાપિત હશે તેની જાણુ અત્યાર સુધી કાને થઈ નથી. પણ કાંઇ કારણસર કાઇએ જમીનમાં પધરાવેલ હશે તેમ માલુમ પડે છે. પ્રભુની કૃત્તિએ જમીનમાંથી બહાર પ્રગટ થતા પહેલાં અધિષ્ઠિત દેવે માતરના વતની શા. દેવચંદ વેલજી તથા શા. વચંદ સુંદરજી તથા શા. નથ્થુ ગાંધી આ ત્રણે વ્યક્તિને સુંદર સ્વમ આપી તેમાં જણાવ્યુ કે-અમે। સુદુંજ ગામમાં બારોટના વાડામાં અમુક સ્થળે છીએ. ત્યાંથી અમેને બહાર કાઢો. આવું ભાવી મહહલાભસૂચક સ્વમ ત્રણે ભાગ્યશાળીઓને એક જ વેળાએ આવ્યું. ખીલ્ડ બાજુ તે જ રાત્રીએ ભારાટને પણ આશ્ચર્યકારી વિવિધ પ્રકારના ચમત્કારો દેખાવા લાગ્યા. દિવસે જેમ પસાર થતા ગયા તેમ વાડામાં તેની નજરે અવારનવાર અભિનવ દસ્યો દૃષ્ટિગોચર થવા લાગ્યાં. તેમજ વાડાની જમીનમાં વાજિંત્રા વાગતા હોય, સુંદર નાટારંભ થતો હોય, તેવા મધુર અવાજો તેના કાને સાંભળાવવા લાગ્યા.
આ ઉપરથી બારોટના મનમાં થયું કે આ સ્થળે કાઈ ઇશ્વરી ચમત્કાર છે. વાડાની આ જમીન ખાદી જોવાથી ખબર પડશે. મનમાં આ પ્રમાણે વિચાર ઉદ્ભવતાં બારોટે વાડામાં જે જગ્યાએથી અનુપમ સુગંધ આવી રહી હતી તે જગ્યાની આસપાસથી વા ખેાદવા માંડયા. ઘેાડુંક ખાદાયું ત્યાં તે સુરતરુ સમાન લભ્ય આકૃતિવાળી સફેદ પાષાણુની સુંદર મૂર્ત્તિવ દેખાણી. બારેાટે તે મૂર્ત્તિએને બહાર કઢાવી. ખાદનારા આ જોઈને આશ્રય'માં ગરકાવ થઇ ગયા. સૌએ ભાવ સહિત મૂત્તિનાં દÖન કર્યાં. અને ગાયનું દૂધ નિમળ જળ મ`ગાવી મૂત્તિનું પ્રક્ષાલન કર્યું. પ્રક્ષાલનથી માટી દૂર થઇ ત્યાં તે મૂર્ત્તિ એ ચંદ્રમાના
૧. માતરતી સબન્ધી છપાયેલ અને પુસ્તિકામાં ખારોટના વાડામાંથી ત્રણ પ્રતિમા નિકળેલી છે, તેમ જણાવેલ છે. આ બાબતની અમે વધુ તપાસ કરતાં તેમજ ત્યાંના રોડ ખીમચંદભાઇ બેચરદાસના મુખથી સાંભળતાં ત્રણ ને બદલે પાંચ પ્રતિમા નીકળેલી છે. તે પાંચે પ્રતિમા સમ્રાટ સંમતિએ ભરાવેલી છે. તેમાં ( હાલ જે મૂળનાયક તરીકે છે તે અને તેની આતુબાજીની એકેક તથા મૂળ નાયકજીના જમણી તરફના ગભારામાં મૂળનાયક તરીકે પધરાવેલી એમ ) ચાર પ્રતિમા શ્રી સુમતિનાથ પ્રભુની છે. તથા મૂળનાયકજીના ડાબી તરફના ગારામાં મૂળનાયક તરીકે પધરાવેલી શ્રેયાંસનાથ પ્રભુની એક મૂર્તિ છે. પાંચે પ્રતિમાજી ઉપર નામ વાંચી શક્રામ છે
For Private And Personal Use Only