Book Title: Jain Satyaprakash 1937 01 SrNo 18 Author(s): Jaindharm Satyaprakash Samiti - Ahmedabad Publisher: Jaindharm Satyaprakash Samiti Ahmedabad View full book textPage 7
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯૯૩ દિગબરની ઉત્પત્તિ ૩૫૫ પ્રભાવના, દાન, શીલ, તપ, સામાયિક, પ્રતિક્રમણ વગેરે શુદ્ધ વ્યવહારનું પવિત્ર આચરણ કરે છે તેના તરફ લોકે ન ખેંચાય અને પિતાનો (દિગંબર) માર્ગ ન છોડી દે! પણ પિતાની સંસારની બધીય પ્રવૃત્તિઓમાં, ધનધાન્યાદિના ઉપાર્જન વગેરેમાં, ક્ષણે ક્ષણે વ્યવહારમાં લાગ્યા રહેતા દિગંબરોને આ વ્યવહારને નિષેધ કેટલે સુસંગત છે તે સમજવું કઠણ નથી! પિતે માનેલા નિશ્ચયવાદને જ જે તેઓ સાચી રીતે વળગી રહે અને વ્યવહારમાર્ગને છે દે તે તે તેઓ કઈ પ્રવૃત્તિ કરી શકે, તેમજ બલવા ચાલવાનું કે ઉઠવા બેસવાનું પણ તેઓ કરી શકે કે કેમ તેને પણ જો તેઓએ વિચાર કર્યો હત તે આ માન્યતાને તેઓ કદી અપનાવત નહીં ! આ સંબંધી વિશેષ જાણવા ઈચ્છનારે ન્યાયાચાર્ય શ્રી યશોવિજયજી મહારાજને ઉગ્રામમતારીલાં નામક ગ્રંથ કે શ્રી મેઘવિજયજી ગણિ રચિત કુત્રિવધ ગ્રંથ જેવો. જિનમૂર્તિ અને ચક્ષુઃ નિશ્ચય અને વ્યવહારના અને માર્ગના સ્વીકારના પવિત્ર સિદ્ધાંત પ્રમાણે કવેતાંબર તે જેમ સચેલક(વસ્ત્રસહિત)પણમાં મોક્ષ માને છે તેમ અલક(નગ્ન)પણામાં પણ મેક્ષને માને છે. પણ દિગંબરેને તો પિતાના દુરાગ્રહના કારણે સ્ત્રીમુક્તિ, સ્ત્રીચારિત્ર, અન્યલિંગ-સિદ્ધ વગેરેનો સર્વથા નિષેધ કર પડો એટલું જ નહીં પણ ત્રિલેકનાથ તીર્થકર દેવની પૂજા અને આકારથી પણ તેમને ઘણે અંશે પતિત થવું પડ્યું. દિગંબરના અનેક ગ્રંથમાં શ્રીજિનેશ્વર ભગવાનની પૂજા અનેક પ્રકારના વનસ્પતિનાં તેમજ સુવર્ણનાં પુપે કે મોતી વગેરેની માળા આદિથી કરવાનું સ્પષ્ટ વિધાન કરવામાં આવ્યું છે છતાં ભગવાનની પ્રતિમાને ચક્ષુ લગાવવાની વાત તેમને ગળે ઉતરી નથી. જે ભગવાન જિનેશ્વર મહારાજની આકૃતિ પ્રમાણે જ તેમની મૂર્તિ બનાવવી હોય તે એ મૂર્તિનું શરીર ગમે તે વર્ણનું હોય તે પણ ચક્ષુને વર્ણ તે જુદો જ હવે જોઈએ. કઈ પણ જીવન્ત પ્રાણીને આપણે જોઈશું તે આપણને અવશ્ય જણાશે કે, તેના શરીરના રંગ કરતાં ચક્ષુને રંગ ભિન્ન જ હોય છે. આને અર્થ એ નથી કે એ ભિન રંગનાં ચક્ષુ ચાંદી, હીરા કે પુખરાજ વગેરેનાં હોવાં જોઇએ. વાત મુખ્ય એ જ છે કે મૂળ શરીરના વર્ષ કરતાં ચક્ષુને વર્ણ જુદે હવે જોઈએ ! આમ હોવા છતાં દિગંબરને પ્રભુ-પ્રતિમાને ચક્ષુ લગાડવાનું નથી રુચતું એનું કારણ એ છે કે-જેમ મુનિરાજને કોઈ પણ પ્રકારને બાહ્ય પરિગ્રહ હવે એનું નામ સંગ ગણીને તેમણે સાધુને માટે વસ્ત્રાપાત્રાદિને સર્વથા નિષેધ કર્યો અને તેથી યુક્ત જે હોય તે સાધુ ન કહેવાય એમ માન્યું તેમ જિને For Private And Personal Use OnlyPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44