Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 129
________________ અહેસાસ થઈ જાય છે ત્યારે માણસ ભાંગી પડે છે. જો માણસ પહેલેથી જ એકત્વની ભાવના ઘૂંટતો હોય તો તેને છેવટે હતાશ થવાનો વારો ન આવે. ઊલટાનો તે આ ભાવનાના સેવનથી ક્રમે ક્રમે માનસિક બળ મેળવતો જશે જે તેને ખરી વખતે સ્થિર રહેવામાં સહાયભૂત નીવડશે. અન્યત્વ ભાવનામાં ઉપરની ભાવનાને મળતી જ વાત છે પણ તે બીજે છેડેથી તે જ વાતનો વિચાર કરે છે. મનુષ્ય. સમગ્ર જીવન પર્યંત ‘હું’ અને ‘મારું’ એમ બે વાતોમાં રચ્યોપચ્યો રહે છે. જેને તે ‘હું' માને છે તે દેહ જ ખરેખર તેનો નથી બનતો. શરીર જીર્ણ અને શીર્ણ થવા માંડે ત્યારે માણસને લાગે છે કે આ શરીર જેને મેં મારું માનીને સજાવ્યું, સાચવ્યું તે હવે સાથ આપતું નથી અને દગો દઈ રહ્યું છે. જે શરીરને ‘હું' માનીને આપણે ‘મારા’નો જે વિસ્તાર કર્યો હોય છે તે પતિ-પત્ની, દીકરા-દીકરીઓ, માલ-મિલકત, ગાડી-વાડી બધુંય જ્યાં ‘હું’ જ પડવા માંડે ત્યાં ક્યાંથી ટકવાનું ? આપણે જીવનમાં ‘મારા’નો વિસ્તાર વધારતા જઈએ છીએ પણ ભૂલી જઈએ છીએ કે જ્યાં ‘હું’ જ હતો ન હતો થઈ જાય છે પછી ‘મારું’ શું રહેવાનું ? આમ એકત્વ અને અન્યત્વ ભાવનાઓ આત્મલક્ષી ભાવનાઓ છે જેના સેવનથી જીવ જડ એવા પુદ્ગલ તરફથી પોતાના મનને વાળીને આત્માભિમુખ બનતો જાય છે. એક વાર જીવ આત્માભિમુખ બને પછી આગળનો તેનો માર્ગ સ્પષ્ટ થઈ જાય છે. ત્યાર પછી ‘સંસાર' નામની ભાવના આવે છે જેમાં સંસારના સ્વરૂપનો વિચાર કરવામાં આવે છે. જે સરકતો જાય જૈન ધર્મનું હાર્દ ૧૧૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178