Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 154
________________ અવસ્થા તો પળવારની છે. તેની ઉપર રહેલ જીવોને પણ કેવળી ભગવંતો જ કહેવાય. અયોગી કેવળીની અવસ્થા પછી આત્માના ઊધ્વરોહણનું અંતિમ સ્થાન લોકના અગ્રભાગે આવેલ સિદ્ધશિલા છે. આત્માના ગુણોનો ઉત્કૃષ્ટ વિકાસ સાધી કે આત્માના ગુણોનો સંપૂર્ણ આવિર્ભાવ કરી સિદ્ધશિલા ઉપર અનંતકાળ માટે, અનંત સંપદામાં સ્થિતિ કરેલ સર્વ આત્માઓ, પરમાત્માઓ બની રહે છે. ત્યાં તીર્થકરના આત્મા કે સિદ્ધના આત્મા વચ્ચે કંઈ ભેદ રહેતો નથી. તે ચરમ અવસ્થામાં સૌ સરખા પણ સૌ એક નહિ, સૌ જુદા. અત્યાર સુધીમાં અનંત જીવો પરમાત્મા થઈ ગયા છે અને હજુ અનંત જીવો પરમાત્મા થવાના. આમ જૈન ધર્મ પ્રમાણે સંખ્યાતીત અનંત પરમાત્માઓ છે જ્યારે અન્ય ધર્મોના મતે પરમાત્મા આદિ અને અંતરહિત – અનંત છે. અન્ય ધર્મો સાથેનો આપણો આ પાયાનો તફાવત છે. આત્માનું ઊર્ધ્વરોહણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178