Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 162
________________ ક્યાંય અપવાદ કરતી નથી. નવકાર મંત્ર જે કંઈ કાર્ય કરે છે તેમાં કર્મને સ્થાન રહેલું જ છે. સૌપ્રથમ તો તે સર્વ પાપકર્મોનો નાશ કરે છે. પાપકર્મોનો નાશ થતાં પુણ્યકર્મની પ્રકૃતિ માટેનો માર્ગ મોકળો થાય અને જીવને આરાધનામાર્ગમાં પણ અનુકૂળતાઓ મળી રહે. નવકારમાં કર્મસત્તાની ઉપરવટ થઈને જવાની વાત નથી પણ કર્મમાં ફેરફારો કરી પાપકર્મોને નષ્ટ કરીને આગળ વધવાની જ વાત છે. પાપકર્મના ખસ્યા વિના જીવ માટે કોઈ સાનુકૂળતા ઊભી ન થાય. આમ નવકાર પ્રથમ તો જીવને અશુભમાંથી શુભમાં લાવે છે અને ત્યાર પછી પરમાત્મપ્રાપ્તિ માટેનો આગળનો શુદ્ધનો માર્ગ તૈયાર થતો જાય છે. આ ચૂલિકામાં એ વાતનું સ્પષ્ટ નિર્દેશન થઈ જાય છે કે કર્મની ઉપરવટ જઈને કંઈ પ્રાપ્ત ન કરી શકાય. કર્મમાં ફેરફાર કરી, કર્મને હરાવીને જ આગળ વધી શકાય. નવકારથી ભાવપરિવર્તન, લેશ્યાપરિવર્તન, કર્મસંક્રમણ અને અન્ય કારણો જેવાં કે અપવર્તના, ઉદીરણા ઈત્યાદિની પ્રક્રિયાનો પ્રારંભ થાય છે. જેનાથી ઘણીવાર વિપત્તિઓનાં વાદળો ખસી જાય છે. નવકારથી ભૌતિક વિપત્તિઓ કે પ્રતિકૂળતાઓ દૂર થાય પણ ખરી અને ન પણ થાય; છતાંય એક વાત તો નિશ્ચિત છે કે વિપત્તિઓ સહન કરવાની શક્તિ તો આપણને તેનાથી અવશ્ય મળી રહે છે. નવકારને પ્રથમ મંગલ કહ્યું છે એટલે કે તેનાથી મંગલની શરૂઆત થઈ જાય. કોનું મંગલ? આત્માનું. આત્માના મંગલની શરૂઆત એટલે જ જીવનું બહિરાત્મદશામાંથી અંતરદશામાં આવવું. બાહ્ય જગત ઉપરથી દૃષ્ટિ ફેરવી લઈને પોતાના આત્મા તરફ જોવું - આત્માભિમુખ થવું. જીવ પોતાની તરફ પાછો મંગલની વર્ષા ૧૫ જૈ.હા..૧૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178