Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 169
________________ વાણી અમુક અપેક્ષાથી કરાય અથવા અમુક સંદર્ભમાં જ તે કથન થાય તો જ તે સત્ય બની રહે. આ છે સ્યાદ્વાદ જેને અપેક્ષાવાદ પણ કહી શકાય. આવી જ વાત ભવને અનુલક્ષીને થઈ શકે છે. બાળકનો જન્મ જોઈને કહીએ કે તે જન્મ્યો અને માણસને મરતાં જોઈને કહીએ કે તે મરી ગયો. વાસ્તવિકતામાં તે જીવ આ ભવની અપેક્ષાએ – સંદર્ભમાં જ જન્મ્યો કહેવાય અને મર્યો કહેવાય. પણ જો ભવાંતરની અપેક્ષાએ વિચાર કરીએ તો જીવ જન્મતોય નથી અને મરતો પણ નથી. જીવ આ ભવમાં દેખાયો તે આ ભવના સંદર્ભમાં તેનો જન્મ થયો અને મૃત્યુ પામ્યો એટલે કે જીવ ક્યાંક જતો રહ્યો – શરીરને છોડી દીધું. અહીં વાણીનો જે વ્યવહાર થાય છે તે ભવની અપેક્ષાએ થાય છે, જે અપેક્ષા સામાન્ય રીતે અધ્યાહાર રહે છે. એ જ રીતે ક્ષેત્રની અપેક્ષાએ સત્યનું નિરૂપણ થાય છે. હિમાલય ઉત્તરમાં આવ્યો છે તેમ ભારતના લોકો કહે તે બરોબર છે પણ તિબેટના લોકો માટે તે દક્ષિણમાં આવેલો છે. અમેરિકાના લોકો માટે હિમાલય પૂર્વમાં છે, તો જાપાનના લોકો માટે હિમાલય પશ્ચિમમાં આવેલો છે. હિમાલય ઉત્તરમાં આવેલો છે તે વાત ભારતના લોકોની અપેક્ષાએ થઈ તેથી તેને સમગ્રતયા સત્ય તરીકે ન સ્વીકારાય, અપેક્ષા વિના બોલેલું કે વિચારાયેલું સત્ય પણ અસત્ય જ ગણાય – આ જ તો સ્યાદ્વાદનું રહસ્ય છે. - આવી જ વાત ભાવની છે – અનુભૂતિની છે. આજે જે સુખ લાગે છે તે જ કાલે દુઃખ લાગે. આજે જેને સમૃદ્ધિ માનીએ છીએ તે કાલે દરિદ્રતા લાગે, નાહવા માટે મૂકેલું પાણી કોઈને ગરમ લાગે જૈન ધર્મનું હાર્દ ૧૫૨ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 167 168 169 170 171 172 173 174 175 176 177 178