Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 171
________________ આપણે સહાય લઈએ. તેમાંનું સૌથી સરળ ઉદાહરણ પાંચ આંધળાઓ અને હાથીવાળી વાત છે. પાંચ આંધળાઓ હાથી ઉપર પોતાનો હાથ ફેરવી હાથીના સ્વરૂપ વિશે નિર્ણય લે છે. એક જણ કહે છે કે હાથી થાંભલા જેવો છે કારણ કે તેના હાથમાં હાથીનો પગ આવ્યો હતો. જેના હાથમાં હાથીના કાન આવ્યા હતા તે કહે છે કે હાથી સૂપડા જેવો છે; તો જેના હાથમાં સૂંઢ આવી હતી તે કહે છે કે હાથી સાંબેલા જેવો છે. જેણે હાથીની પીઠ ઉપર હાથ ફેરવ્યો હતો તેણે કહ્યું કે હાથી તો પાટ જેવો છે અને જેના હાથમાં હાથીની પૂંછડી આવી હતી તેણે કહ્યું કે હાથી તો દોરડી જેવો છે. દરેક આંધળો પોતાના હાથમાં હાથીનું જે અંગ આવ્યું હતું તેને આધારે હાથી વિશે કહે છે. આમ જોઈએ તો દરેક જણ પોતાની રીતે, પોતાના અનુભવથી (અપેક્ષાએ) સાચો છે છતાંય પ્રત્યેકનું કથન સત્યથી ઘણું વેગળું છે. કારણ કે સૌએ નિરપેક્ષ રીતે હાથીનું વર્ણન કર્યું છે. જો પ્રત્યેક વ્યક્તિ એમ કહે કે મારા હાથનો જેને સ્પર્શ થાય છે – થયો છે તેની અપેક્ષાએ હાથી આવો હશે તેમ હું કહી શકું; પણ અન્યની અપેક્ષાએ તેનું સ્વરૂપ ભિન્ન પણ હોય. આ છે સત્યને ઓળખવાની સ્યાદ્વાદની શૈલી. તત્ત્વજગતની મહાન વાત લઈએ તો આત્મા નથી જન્મતો કે નથી મરતો. આત્મા ઉત્પન્ન થતો નથી અને આત્મા નષ્ટ થતો નથી. તેથી વેદાંતે કહ્યું કે આત્મા નિત્ય છે. બીજી બાજુ બૌદ્ધોએ કહ્યું કે આત્માનું જે સ્વરૂપે આપણને ભાન થયું કે અનુભવ થયો તે નવજાત શિશુ બાળક બન્યો, યુવાન બન્યો, પ્રૌઢ બન્યો અને છેવટે વૃદ્ધ થઈને મૃત્યુ પામ્યો. માટે આત્મા અનિત્ય ઠર્યો. ભગવાન મહાવીરે કહ્યું કે દ્રવ્યરૂપે આત્મા નિત્ય છે કારણ કે તે નથી ઉત્પન્ન જૈન ધર્મનું હાર્દ ૧૫૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 169 170 171 172 173 174 175 176 177 178