Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 166
________________ પટ ઉપર ઊંચા પહાડો ઊભા થઈ ગયા છે તો સામે પક્ષે ઊંડા મહાસાગરો થઈ ગયા છે. નદીઓ વહીને સાગરમાં મળી જાય છે તો સાગરો તપીને વરાળ રૂપે ઊંચે ચઢે છે જેમાંથી વાદળો બંધાય છે. સંસારમાં સ્ત્રી છે તો પુરુષ પણ છે. સમૃદ્ધિ છે તો સામે ગરીબી પણ ઊભી જ છે. શિયાળાની પાછળ ઉનાળો, વસંત પાછળ પાનખર એમ પકડદોડનો દાવ રમાઈ રહ્યો છે. ક્યાંય કોઈ એકલું નથી. આમ સમગ્ર અસ્તિત્વ પરસ્પર વિરોધી તત્ત્વોના સહઅસ્તિત્વને આધારે ટકી રહ્યું છે. તેમાંથી એકને ખસેડવા જઈશું તો અસ્તિત્વની આખી ઈમારત કડડભૂસ કરતાં નીચે આવી જશે. પરસ્પર વિરોધી તત્ત્વો કે પરિબળોને આધારે આખો સંસાર ટકી રહ્યો છે તે અનેકાંતનો મૂળ સિદ્ધાંત છે. આ જ વાતનો જરા વધારે વિસ્તાર કરીએ તો વસ્તુમાત્રમાં પરસ્પર વિરોધના કેવળ બે જ ગુણધર્મો નથી. વસ્તુ અનેકધર્યા છે. સત્યને અનેક બાજુઓ છે પણ અસ્તિત્વને ટકી રહેવા માટે પરસ્પર વિરોધી ગુણધર્મો આવશ્યક બની રહે છે. સત્યને ક્યાંય વિરોધ નડતો નથી. સત્ય એટલું વિરાટ છે કે તેમાં બધાય વિરોધ સમાઈ જાય છે પણ વિરોધમાં સત્ય ન સમાઈ શકે. ઉદાહરણ તરીકે હિમાલયનું ઉત્તુંગ શિખર ગૌરીશંકર છે. ત્યાં પહોંચવાના અનેક માર્ગો છે. ભારતમાંથી જવાય, નેપાળમાંથીય જવાય, ચીનમાંથી પણ જઈ શકાય. તિબેટમાંથી પણ ત્યાં પહોંચવાનો માર્ગ છે. ગૌરીશંકરના અસ્તિત્વને ભિન્ન અને વિરોધી માર્ગોથી ક્યાંય કશી મુશ્કેલી પડતી નથી. ગૌરીશંકર સર કરવા જનારાઓ ગમે તે માર્ગે અનેકાંતવિજ્ઞાન ૧૪૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178