Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 158
________________ સ્કંધ' એ રીતે પણ ઓળખવામાં આવે છે. નવકાર મંત્રના રટણ સાથે જ આપણી અંદરના ભાવો બદલાવા લાગે છે. નવકાર મંત્રમાં આવેલા અક્ષરોનું એવું સંયોજન થયેલું છે કે જે ભીતરના ભાવને સ્પર્શી જાય અને તેને શુભ કરી દે. નવકાર મંત્રના રટણ સાથે આપણે કોઈ પાપમાં નહિ ઊતરી શકીએ. તેમાંય જો ભાવથી મંત્રનું રટણ થતું હશે તો પાપ કરવાની આપણામાં તે સમયે તાકાત જ નહિ રહે. આ મંત્રાક્ષરોનાં ધ્વનિઆંદોલનો પણ શુભ ભાવનાં પ્રવર્તક છે. તેથી નવકારના આરાધકની લેગ્યા ઉત્તરોત્તર શુભ થતી જાય છે. શુભ લેશ્યા જીવને પુણ્યકર્મોમાં જોડનારી છે. નવકાર મંત્ર જીવને અશુભથી બચાવી લઈને શુભમાં જોડી દે તે કંઈ જેવોતેવો લાભ છે ? નવકાર મંત્ર સાથે બીજી એક વૈજ્ઞાનિક વાત જોડાયેલી છે. નવકારના રટણથી જે સૂક્ષ્મ ધ્વનિતરંગો પેદા થાય છે તે વાતાવરણમાં રહેલાં શુદ્ધ અને શુભ તત્ત્વો સાથે અનુસંધાન કરી લે છે. આ વિશ્વ ક્યાંય ખાલી નથી. તે અનેક સારાનરસા તરંગોથી વ્યાપ્ત છે. વાણી તો તેની પાછળ આંદોલન મૂકી જાય છે પણ વિચારેય તેની પાછળ સૂક્ષ્મ પરમાણુઓ છોડી જાય છે તેમનોવર્ગણાના પરમાણુઓ). આ પરમાણુઓ ઘણા લાંબા કાળ સુધી ટકી રહે છે અને અવકાશમાં ઘૂમરાયા કરે છે. નવકાર મંત્રના રટણ દ્વારા જે ધ્વનિતંરગોનું ટ્રાન્સમિશન થાય છે તે વાતાવરણમાં સંગ્રહિત પાંચ પરમેષ્ઠીઓ દ્વારા છોડાયેલા પરમાણુઓ સાથે અનુસંધાન કરી લે છે. પરમેષ્ઠીઓ મંગળના પ્રવર્તક છે. તેમણે મૂકેલા - છોડેલા પરમાણુઓ મંગળના મંગલની વર્ષા - ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178