Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 157
________________ નવકારમાંથી જ્ઞાન અને આરાધનાનાં કેટલાંય દ્વાર શોધી આપે. કંઈક આવી રીતે વિચારણા થાય તો નવકારમાંથી ચૌદ પૂર્વનો સાર નીકળી આવે. નવકાર મંત્રમાં નમવાની મહત્તા છે. નવ પદોને કારણે તે નવકાર કહેવાય છે, તો ‘નમો’ને કારણે તે નમસ્કાર મંત્ર કહેવાય છે. નમવું એટલે ઝૂકવું. અહંકાર સ્વભાવથી અક્કડ હોય છે. તે ઝૂકતો નથી. અહીં તો પદે-પદે નમવાની વાત છે. પ્રત્યેક પદમાં પ્રથમ ઝૂકવાનું એટલે અહંકારનું વિસર્જન કરવાનું. નમવાની સાથે બીજી એક સૂક્ષ્મ વાત જોડાયેલી છે. ભાવથી વંદન થતાં જ મનની ગ્રાહકતા વધે છે. ઘમંડ અને ગ્રાહકતા સામસામે છે. નમન કરવાથી સામાની વાતને આવવાનો માર્ગ મોકળો થઈ જાય છે. નમ્યા વિના ગ્રાહકતા ન આવે અને ગ્રાહકતા કેળવ્યા વિના કંઈ મળે નહિ. નવકારમાં રહેલ પાંચ પરમેષ્ઠીઓને નમસ્કાર થતાં તેમના અવતરણનો માર્ગ સરળ થઈ જાય છે. પરમેષ્ઠીઓને આપણા નમસ્કારની કંઈ જરૂર નથી પણ આપણું મસ્તક કોઈની સમક્ષ ઝૂકે છે તે વાત ઘણી મહત્ત્વની બની જાય છે. અને મસ્તક નમાવવા માટે પરમેષ્ઠીથી વધારે સારું કયું સ્થાન આપણને મળવાનું હતું ? નમસ્કાર થતાં જ પરમેષ્ઠીના માર્ગનો સ્વીકાર થઈ જાય છે. નમન વિના ગ્રાહકતા નહિ. ગ્રહણ કર્યા વિના કંઈ પ્રાપ્તિ ન થાય. વસ્તુ કે વિચાર કંઈ પણ હોય તેની પ્રાપ્તિ માટે નમસ્કાર આવશ્યક બની રહે છે. નવકારમાં નમવાની ઘણી મહત્તા છે. તેથી પદે પદે ‘નમો’ આવે છે. વળી નમવાનું ગુણવાચક પાંચ પરમેષ્ઠીઓને તેથી નવકારને ‘પંચ મહાશ્રુત જૈન ધર્મનું હાર્દ ૧૪૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178