SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સ્કંધ' એ રીતે પણ ઓળખવામાં આવે છે. નવકાર મંત્રના રટણ સાથે જ આપણી અંદરના ભાવો બદલાવા લાગે છે. નવકાર મંત્રમાં આવેલા અક્ષરોનું એવું સંયોજન થયેલું છે કે જે ભીતરના ભાવને સ્પર્શી જાય અને તેને શુભ કરી દે. નવકાર મંત્રના રટણ સાથે આપણે કોઈ પાપમાં નહિ ઊતરી શકીએ. તેમાંય જો ભાવથી મંત્રનું રટણ થતું હશે તો પાપ કરવાની આપણામાં તે સમયે તાકાત જ નહિ રહે. આ મંત્રાક્ષરોનાં ધ્વનિઆંદોલનો પણ શુભ ભાવનાં પ્રવર્તક છે. તેથી નવકારના આરાધકની લેગ્યા ઉત્તરોત્તર શુભ થતી જાય છે. શુભ લેશ્યા જીવને પુણ્યકર્મોમાં જોડનારી છે. નવકાર મંત્ર જીવને અશુભથી બચાવી લઈને શુભમાં જોડી દે તે કંઈ જેવોતેવો લાભ છે ? નવકાર મંત્ર સાથે બીજી એક વૈજ્ઞાનિક વાત જોડાયેલી છે. નવકારના રટણથી જે સૂક્ષ્મ ધ્વનિતરંગો પેદા થાય છે તે વાતાવરણમાં રહેલાં શુદ્ધ અને શુભ તત્ત્વો સાથે અનુસંધાન કરી લે છે. આ વિશ્વ ક્યાંય ખાલી નથી. તે અનેક સારાનરસા તરંગોથી વ્યાપ્ત છે. વાણી તો તેની પાછળ આંદોલન મૂકી જાય છે પણ વિચારેય તેની પાછળ સૂક્ષ્મ પરમાણુઓ છોડી જાય છે તેમનોવર્ગણાના પરમાણુઓ). આ પરમાણુઓ ઘણા લાંબા કાળ સુધી ટકી રહે છે અને અવકાશમાં ઘૂમરાયા કરે છે. નવકાર મંત્રના રટણ દ્વારા જે ધ્વનિતંરગોનું ટ્રાન્સમિશન થાય છે તે વાતાવરણમાં સંગ્રહિત પાંચ પરમેષ્ઠીઓ દ્વારા છોડાયેલા પરમાણુઓ સાથે અનુસંધાન કરી લે છે. પરમેષ્ઠીઓ મંગળના પ્રવર્તક છે. તેમણે મૂકેલા - છોડેલા પરમાણુઓ મંગળના મંગલની વર્ષા - ૧૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005237
Book TitleJain Dharmnu Hard
Original Sutra AuthorN/A
AuthorChandrahas Trivedi
PublisherHeena Publications
Publication Year1998
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy