________________
ઘાતક હોય છે. તેની સાથે નવકારના ધ્વનિતરંગોનું અનુસંધાન થતાં વિનીત આરાધક ઉપર મંગલની વર્ષા થાય છે. મંગલ એટલે આત્માનું મંગલ. આમ મંગલની વર્ષા કરતો નવકાર મહામંત્ર બની રહે છે.
આપણે ખૂબ ધ્યાન રાખવા જેવી અને સમજવા જેવી વાત છે કે નવકાર પરમાત્મપ્રાપ્તિનો મંત્ર છે. તેની પાસે ભૌતિક સમૃદ્ધિની કે સફળતાની આશા રાખવી તે બરોબર નથી. ઘણીવાર એવું બને કે નવકારની આરાધનાથી પાપકર્મ આઘાપાછાં થઈને સંસારમાં અનુકૂળતા મળી જાય તો તે આનુષંગિક લાભ ગણાય. પણ તે કંઈ તેનો આશય નથી. ઘણીવાર એમ લાગે છે કે નવકાર સાથે ભૌતિક ચમત્કારોની વાતો જોડીને આપણે આ મહામંત્રનું અવમૂલ્યન કરી નાખ્યું છે. લોકો ચમત્કારોની આશાથી નવકાર તરફ વળે પણ જો ચમત્કાર ન થાય તો પછી તેનાથી વિમુખ થઈ જાય. જેની આપણને ખાતરી ન હોય કે જે બાબત હાલના વૈજ્ઞાનિક યુગમાં ઘટાવી શકાય તેમ ન હોય તેને આગળ કરવાથી આપણો સાચો કેસ પણ ખોટો ઠરે. પરમાત્મદશાની પ્રાપ્તિ એ જ મોટામાં મોટો ચમત્કાર છે. નવકારને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં સમજીને આગળ કરવાથી લોકમાનસમાં તે વધારે સારી રીતે આરૂઢ થશે.
હવે આપણે નવકાર મંત્રનાં પદોની સંરચના ઉપર થોડોક વિચાર કરીએ. તેનાં પ્રથમ બે પદો પરમાત્મશક્તિનાં વાચક છે જ્યારે બાકીનાં ત્રણ આત્મશક્તિનાં દ્યોતક છે. અરિહંત અને સિદ્ધ એ બન્ને પરમાત્મશક્તિ છે અને આ બન્ને પદો આપણા માટે સૂક્ષ્મ છે. એમાંય અરિહંતનું શિખર તો દૂરથીય
જૈન ધર્મનું હાર્દ
૧૪૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org