Book Title: Jain Dharmnu Hard
Author(s): Chandrahas Trivedi
Publisher: Heena Publications

View full book text
Previous | Next

Page 141
________________ મહત્ત્વનો છે પણ વારસો સાચવવો, વેડફવો કે વધારવો બધું વારસદાર ઉપર આધાર રાખે છે. વારસો એટલે વારસો; તે સારો પણ હોય અને નરસો પણ હોય. જીવનમાં જે કાંઈ સારું-ખોટું આવી મળ્યું તે જીવનો વારસો. જીવે પુરુષાર્થથી જે કાંઈ ઉપાર્જન કર્યું કે ગુમાવ્યું તેના ઉપર તેની સંપત્તિનો આધાર રહે છે. સમજુ અને ઉદ્યમી જીવ હોય તો વારસામાં મળેલી દુઃખ-દરિદ્રતા જેવી વસ્તુઓને ફેડી નાખી પોતે સાફસૂથરો થઈ જાય અને પછી બધી સારી વસ્તુઓનું સંપાદન કરી વૈભવ પ્રાપ્ત કરી લે. મૂળ વાત છે આત્માનો વૈભવ પ્રાપ્ત કરવાની. આત્માનો વૈભવ મેળવવો હોય તો આત્માને ઘાતક જે દોષો આપણામાં હોય તેને કાઢવા પડે અને આત્માને ઉપકારક જે ગુણો હોય તે કેળવવા પડે અને તેની વૃદ્ધિ કરવી પડે. આ વાત ગીતાર્થ મુનિઓએ કર્મવિજ્ઞાનને સહારે સારી પેરે સમજાવી છે. જૈન ધર્મમાં કર્મ કેન્દ્રસ્થાને છે. તેની આસપાસ સમસ્ત સંસાર ઘૂમે છે. કર્મની અવગણના કરીને કોઈ જીવ આ ભવભ્રમણમાંથી બહાર નીકળી શકે નહિ. વાસ્તવિકતામાં કર્મસત્તાનું આધિપત્ય એટલે એક પ્રકારની ગુલામી, પરાધનીતા. રાજા સાનુકૂળ હોય ત્યાંસુધી દરબારી લહેર કરે પણ રાજા રૂઠે પછી તેની શી દશા થાય ? જૈન ધર્મ તેથી કર્મમાત્રને દુઃખનું કારણ કહ્યું છે. કર્મને કારણે સુખ-દુઃખનું ચક્ર સતત ઘૂમ્યા જ કરે છે અને જીવ તેની અંદર ફસાઈને આમથી તેમ ફંગોળાયા કરે છે. જીવનમાં જો કોઈ ઉત્તમ પુરુષાર્થ હોય તો તે કર્મના વિષચક્રમાંથી છૂટી જઈ સ્વાધીન થઈ જવાનો. આ વિષચક્રમાંથી જૈન ધર્મનું હાર્દ ૧૨૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178