________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકરણ :
(૧૩
-
- -
-
-
-
ઉત્તર-પ્રભુની દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા કરવી જોઈએ. ઉપરની ત્રણે બાબતોને ભાવપૂજમાં સમાવેશ છે. નવકારવાળી ગણવી એ ધ્યાનને જે પ્રકાર છે. ધ્યાન કરવું હોય તે પ્રથમ કરવું, નવકારવાળી પણું પ્રથમ ગણવી. પછી ચૈત્યવંદન કરવું. આ કમ ઠીક લાગે છે. ચિત્યવંદન કર્યા પછી વધારે કાત્સર્ગ કરે હોય તો કરે.
પ્રશ્ન પપ્રભુની સમિપે અક્ષતવડે સ્વસ્તિક કરે, ત્રણ ઢગલી કરી અને તેની આગળ અર્ધચંદ્રાકાર કરવામાં આવે છે તેની મતલબ શું છે?
ઉત્તર- ચાર પાંખડીવાળો સ્વસ્તિક ચાર ગતિ સૂચક છે, તેને દૂર કરી, ત્રણ રત્ન (જ્ઞાન, દર્શન, ચારિત્ર) મેળવવા રૂપ ત્રણ ઢગલી કરી, સિદ્ધસ્થાન પ્રાપ્ત કરવા માટે અર્ધચંદ્રાકૃતિવાળી સિદ્ધશિલા કરવી અને તેની ઉપર છેડા ચોખા મૂકી સિદ્ધ બતાવવા. એટલે કે પ્રભુ પાસે ચાર ગતિને નિવારી જ્ઞાન, દર્શન, ચારિત્રની પ્રાપ્તિ સાથે મોક્ષમાર્ગની માગણી કરવા માટે એ કરવું.
પ્રશ્ન -કેટલીક જગ્યાએ પ્રભુ પાસે નૈવેદ્ય તરીકે રોટલી, દાળ, ભાત, શાક વિગેરે તમામ રસવતિ ધરાવવામાં આવે છે તે યોગ્ય છે?
ઉત્તર- ઘણું કરીને ઘર દેરાસરમાં આવી રીતે ધરવામાં આવે છે. મુખ્ય મંદિરમાં પણ પ્રતિષ્ઠાદિ પ્રસંગે અમુક અવસરે ધરાય છે. એ પ્રમાણે ધરવામાં અયોગ્ય પારું નથી, પરંતુ એવી પ્રવૃત્તિ વૈષ્ણોમાં વિશેષ હોવાથી દેરાસરોમાં પકવાન્નરૂપ નૈવેદ્ય ધરવાની પ્રવૃત્તિ રાખેલી છે.
પ્રશ્ન છે –ાવકને પ્રતિક્રમણ કરતાં કટાસણું વાપરવાની ખાસ જરૂર છે? કટાસ એ શબ્દનો અર્થ શું છે ?
ઉત્તર ઉભા ઉભા વિધિપૂર્વક પ્રતિકમણ કરનાર માટે કટાસણાની જરૂર નથી. મુખ્ય ઉપગરણ મુપત્તિ ને ચરવળો એ બેજ છે. પરંતુ પ્રમાદવશ પડેલા જે બહેળે ભાગે બેસીને પંડિકકમણું કરતા હોવાથી કટાસણું આવશ્યક થઈ પડ્યું છે અને ચારવાળો ભૂલી જવાય છે. કોઈકના હાથમાં જ તે દેખાય છે.
કટાણું એટલે કટવાસન-કટીવડે બેસવાનું સાધન એ અર્થ છે..
પ્રશ્ન ૮-અંગલુહણા ત્રણ કરવા, વધારે ઓછા નહીં, એનું કાંઈ ખાસ કારણ છે?
ઉત્તર-એક અંગલુહણ કરવાથી પ્રતિમા બરાબર સાફ થાય નહીં, કારણ કે તે તો ભીનું થઈ જાય એટલે બીજની જરૂર છે. ત્રીજું તે ભૂલેચુકેયે કઈ જગ્યાએ ભીનાશ રહી ગઈ હોય તો તેના નિવારણ માટે છે. તેમજ એક સરખી પ્રવૃત્તિ રખાવવા માટે છે, બીજું કાંઈ ખાસ કારણું ખંથી.
For Private And Personal Use Only