Book Title: Jain Dharm Prakash 1923 Pustak 039 Ank 04
Author(s): Jain Dharm Prasarak Sabha
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 25
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રસ્તાવિક દુહા. ૧૨૨ શસ્ત્ર વિનાનો માનવી, કરવા જાય શીકાર; સિંહ જગાડે ઉંઘતો, એ પણ એક ગમાર મોટે રેગ મટાડવા, ઔષધ ખાય અપાર; કરી ન પાળે કદિન, એ પણ એક ગમાર. (રોગ મટાડવા ઔષધ ખાય પણ કરી ન પળે-કુપથ્ય કરે તેવાઓને માટે આ ઉપમા આપવામાં આવી છે.) (પ). ગણિકાના ઘરમાં રહી, મોજ મજા કરનાર; વિશ્વાસુ તેનો બને, એ પણ એક ગમાર. ( વેશ્યાને ત્યાં રહેનાર ને તેને વિશ્વાસ કરનાર માટે આ ઉપમા આપવામાં આવી છે–પરિણામે તે હાનિજ મેળવે છે.) પાસે દમડી નહીં અને, કરે અધિક વ્યાપાર દેવામાં ડો રહે, એ પણ એક ગમાર. દેવું કરીને માટે વ્યાપાર ખેડનાર માટે આ ઉપમા આપવામાં આવી છે.) વરસાદ વરસે ત્યાં લગી, શાંતપણે સુનાર; પાળ કરે પાણી પછી, એ પણ એક ગમાર. (પાણી વહી ગયા પછી તેને રોકવા માટેની પાળ બાંધનાર મૂખને માટે આ ઉપમા આપી છે. સુજ્ઞ મનુષ્ય પાણી વહી ગયા અગાઉ પાળ બાંધે છે કે જેથી પાણી શકાય છે અને તેને ખેતી વિગેરેમાં ઉપયોગ કરી શકાય છે.) (૮). હાય નહીં બળ કાંઈપણ, બડાઈને કરનાર; શત્રુ નો થઈ રહે, એ પણ એક ગમાર. (શરીરમાં બળ નહીં છતાં બળની બડાઈ હાંકનારને આ ઉપમા આપી છે.) ( ૯ ). હોય ભિખારી જે વળી, માગીને ખાનાર; ઉન્હાની આશા કરે, એ પણ એક ગમાર. (ભિખારીને ઉની રસોઈની ચેષ્ટા કામની નથી એ આમાં સૂચવ્યું છે. ૧ ૫ , For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40