Book Title: Jain Dharm Prakash 1914 Pustak 030 Ank 01 Author(s): Jain Dharm Prasarak Sabha Publisher: Jain Dharm Prasarak Sabha View full book textPage 2
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હે ભવ્ય પ્રાણીઓ ! આ તમારું કેવું અજ્ઞાન? આ મોહ ? આ આત્માનું જ વચન ? આ આત્માની સાથે વૈરભાવ છે? કે જેથી તમે વિશ્વમાં આસક્તિ રાખે છે, સ્ત્રીઓ પરમેહ પામે છે, ધનઉપર લેભ રાખે છે, સ્વજનો ઉપર સ્નેહ કરે છે, યુવાવસ્થા ઉપર (તેને જોઈને) હર્ષ પામે છે, પિતાના (શરીરના)રૂપ ઉપર સાતેષ પામે છે, પ્રિય વસ્તુના સમાગમને પુષ્ટ કરે છે, હિત શિક્ષા ઉપર રોષ કરે છે, ગુણેને દૂષિત કરે છે, અમારી જેવાની સહાય છતાં પણ સન્માર્ગથી ભ્રષ્ટ થાઓ છે, સંસારનાં સુખોપર પ્રીતિ રાખે છે, પરંતુ તમે જ્ઞાનને અભ્યાસ કરતા નથી, દર્શન (સમકિત) ગુણનું પ્રતિપાલન કરતા નથી, ચારિત્રનું અનુષ્ઠાન કરતા નથી, તપ આચરતા નથી, સંયમ (ઇંદ્રિય દમન) ને અંગીકાર કરતા નથી, તથા આત્માને સદ્દગુણ સમૂહના પાત્ર રૂપ કરતા નથી. હે ભવ્ય ! આ પ્રમાણે વર્તવાથી તમારે આ મનુષ્ય ભવ નિર“ક છે, અમારી જેવાનું સાન્નિધ્ય નિષ્ફળ છે, તમારા જ્ઞાનનું (સમજણનું ) અભિમાન નિષ્ણયજન (નકામું) છે, ભગવાનના દર્શનની પ્રાપ્તિ અકિંચિતકર ( કાંઈ પણ કરી ન શકે તેવી) છે, અને તેથી કરીને કેવળ તમારા સ્વાર્થને નાશજ અવશેષ રહે છે, (નાશજ થાય છે, અને તે સ્વાર્થ ભ્રષ્ટતા તમારૂ અજ્ઞાનપણું જ જણાવે છે, પરંતુ ચિરકાળે પણ વિષયાદિકમાં સુતેષ થયે નહીં, તેથી તમારી જેવાને આ રીતે બેસી રહેવું એગ્ય નથી, માટે તમે વિષના પ્રતિબંધને તજી દે, સ્વજનેપરના સ્નેહાદિકનો ત્યાગ કરે, ધન અને ઘર ઉપરના મમતારૂપ વ્યસનને છેડી દે, સંસારનાં મળરૂપી સેવાળને સર્વથા ત્યાગ કરે, ભગવાન સંબંધી (ભગવતે કહી તે) ભાવદીક્ષા ગ્રહણ કરે, જ્ઞાનાદિક ગુણ સમૂહને સચય કરે, તે ગુણસમૂહથી આત્માને પૂર્ણ કરી, અને જ્યાં સુધીમાં અમે. તમારી પાસે રહેલા છીએ, ત્યાં સુધીમાં તમે સ્વાર્થને સાધનારા થાઓ-સ્વાર્થ સાધવામાં તત્પર થઈ જાઓ. " ઉપમિતિ ભવપ્રપંચ કથા. મુખપૃષ્ઠના વાક્યનું ભાષાંતર For Private And Personal Use OnlyPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 42